આપઘાત કેસઃ કૃણાલની પ્રેમિકાની ‘આત્મા’ કરતી હતી હેરાન, પત્નીની સૂસાઈડ નોટમાં ઘટસ્ફોટ

0
1229
news/MGUJ-AHM-HMU-LCL-ahmedabad-suicide-case-krunal-died-lovers-soul-upset-a-family-gujarati-news
news/MGUJ-AHM-HMU-LCL-ahmedabad-suicide-case-krunal-died-lovers-soul-upset-a-family-gujarati-news

નરોડામાં કોસ્મેટિકના વેપારી કૃણાલ ત્રિવેદીએ પત્ની કવિતા અને દીકરી શ્રીન સાથે આપઘાત કરવાની ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઇ છે. આ કેસમાં શરૂઆતમાં આપઘાત કરવાનું કારણ પારિવારીક અથવા આર્થિક હોવાનું પોલીસ માનતી હતી.ગઈકાલે કૃણાલની સુસાઈડ નોટ સામે આવતા કાળી વિદ્યા જવાબદાર હોવાની ચર્ચા ચાલી હતી. પરંતુ પોલીસ તપાસ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં કૃણાલની તકલીફો પાછળ તેની પૂર્વ પ્રેમિકાની આત્મા હોવાનું સામે આવ્યું છે. તેમજ આજે સામે આવેલી કૃણાલની પત્ની કવિતાની સુસાઈડ નોટમાં પણ પૂર્વ પ્રેમિકાની આત્મા હેરાન કરતી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. આમ આ સામૂહિક આત્મહત્યા કેસમાં હજુ પણ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.કૃણાલ ન કરી શક્યો પ્રેમિકા સાથે લગ્ન

આ મામલે કૃણાલના સંબંધીઓએ પોલીસને જણાવ્યા મુજબ, લગ્ન પહેલા કૃણાલ એક યુવતીના પ્રેમમાં હતો, પરંતુ પારીવારિક કારણોસર તેમના લગ્ન થઈ શક્યા નહોતા. ત્યાર બાદ તેની પૂર્વ પ્રેમિકાએ આત્મહત્યા કરી લેતા તેની આત્મા કૃણાલના પરિવારને હેરાન કરતી હોવાની આશંકા હતી.

એક કરોડમાં ઘર વેંચ્યું

કવિતા સુસાઈડ નોટમાં લખે છે કે, મા-બાપુ,પ્રણામ-બાપુ-મા આજ સુધીની તકલીફો માટે મને માફ કરી દેજો. મા અમે એક કરોડમાં મકાન વેચી દીધું, તમામને પૈસા ચૂકવ્યા બાદ જે પૈસા બચ્યા તે મેં અને કૃણાલે વહેંચી લીધા. હું મારા પુરા પૈસા તમને આપીને જઈ રહી છું. આજ સુધી મેં જે કંઈ બચાવ્યું તે મારા અને શ્રીન માટે બચાવ્યું હતું. આજે હું શ્રીનનો હિસ્સો તમને આપવા માગું છું.

ના તો તે મારવા માગતી હતી કે ના તો જીવવા દેવા માગતી હતી

આત્માના હેરાન કરવા અંગે કવિતા આગળ લખે છે કે, ના તો તે મારવા માગતી હતી કે ના તો જીવવા દેવા માગતી હતી. આથી ખૂબ વિચાર્યા બાદ આ પગલું ભરી રહ્યા છીએ. તમે ક્યારેય એવું ના વિચારતા કે શું માણસને આટલી તકલીફ આવી શકે છે, કે દર બે-ચાર દિવસમાં એક નવી વાત સાંભળવા મળે છે અને તે અમને શાંતિથી જીવવા દેવા માગતી નથી. દુનિયા આ વાતને સમજશે નહીં અને ઉલટા પાગલ કહેશે. આથી અમે બધા સાથે જઈ રહ્યા છીએ, કૃણાલ તરથી કોઈ જબરદસ્તી નથી. મેં ખૂબ જ વિચાર્યા બાદ આ નિર્ણય કર્યો છે કે, કારણ કે કૃણાલ વિના જીવવું ખૂબ મુશ્કેલ છે. આ દુનિયા અમને મા-દીકરીને જીવવા દેશે નહીં. હું જલ્દીમાં છું, ભૂલો માફ કરશો.

મારી સાસુ આ તમામ વાતો જાણે છે

કવિતાએ પોતાની સુસાઈડ નોટમાં આગળ લખે છે કે, શ્રીનને હું સાથે લઈ જઈ રહી છું. આ પૈસાથી આ ઘર સારું બનાવી લેજો, અને જે કંઈ દાન-પૂણ્ય કરવું હોય તે કરી લેજો. તેમાંથી સાત બાળકોને જે કંઈ મારા તરફ લાગે તે તમે આપી દેજો. આ પૈસામાંથી 10,000 સરિતા અને 10,000 નીતુને આપી દેજો, કારણ કે આ પૈસા મને આપ્યા હતા. મા આ પૈસાથી તારું થોડું કામ તો ચાલી જશે, કારણ કે હવે હું ઉપર બાધાઓથી પરેશાન થઈ ગઈ છું.

કોઈ યુવતી કૃણાલને ચાહતી હતી

કવિતા પોતાની સુસાઈડ નોટના અંતિમ પેજ પર કૃણાલની પ્રેમિકા અંગે લખે છે કે,મારી સાસુ આ તમામ વાતો જાણે છે. કારણ કે તે જીવનની તમામ તકલીફોનું કારણ તે જ રહી, કારણ કે કોઈ યુવતી કૃણાલને ચાહતી હતી અને તેણે આ લોકોને કહ્યું હતું અને કૃણાલ પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા માગતો હતો. પરંતુ તે યુવતીએ બાદમાં આત્મહત્યા કરી લીધી, અને તેના કારણે જ આ તમામ મુશ્કેલીઓ આવી રહી હતી. તે કૃણાલને લઈ જવા માટે વારંવાર પ્રયાસ કરી રહી હતી અને કોઈને કોઈ ખોટું કામ કરાવી રહી હતી. તેના કારણે પરેશાનીઓ વધી રહી હતી. હવે અસહનીય થઈ ગયું હતું કારણ કે તે શ્રીન પર પણ હુમલો કરવા લાગી હતી.કોઈ ફોન ઉપાડતું ન હોવાથી સંબંધીઓને ગઈ શંકા

આ પહેલા મંગળવારની રાત્રે નરોડાના હરિદર્શન ચાર રસ્તા નજીક અવની ફ્લેટમાં રહેતા અને કોસ્મેટિકનો વેપાર કરતા કૃણાલ ત્રિવેદી, પત્ની કવિતા ત્રિવેદી અને તેમની 16 વર્ષની પુત્રી શ્રીન તથા વૃધ્ધ માતા જયશ્રીબેન સાથે અવની ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા હતા. છેલ્લા 24 કલાકથી તેમના સંબંધીઓ સતત તેમના ઘરના અલગ અલગ સભ્યોને ફોન કરી રહ્યાં હતા પણ કોઇ ફોન ઉપાડતુ ન હોય સંબંધીઓને શંકા ગઇ હતી. પત્ની અને દીકરીએ ઝેરી દવા પીધી તો વેપારીએ ખાધો ગળા ફાંસો

ત્યાર બાદ સંબંધીઓ નરોડા પોલીસને લઇને અવની ફ્લેટ પર દોડી આવ્યાં હતા. ઘર અંદરથી બંધ હોય પોલીસે તોડીને તપાસ કરતા મેઇન રૂમમાંથી જયશ્રીબેન ઝેરી દવાની અસરથી બેભાન હાલતમાં મળી આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે એક બેડરૂમમાં પત્ની અને દીકરીનો મૃતદેહ ઝેર પીધેલી હાલતમાં નીચે અને કૃણાલભાઇ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા

news/MGUJ-AHM-HMU-LCL-ahmedabad-suicide-case-krunal-died-lovers-soul-upset-a-family-gujarati-news
news/MGUJ-AHM-HMU-LCL-ahmedabad-suicide-case-krunal-died-lovers-soul-upset-a-family-gujarati-news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here