-
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 230માંથી 114 સીટ જીતી છે, બહુમતીની 2 સીટ માટે સપા કરશે સમર્થન । મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટી 2 સીટી જીતી, માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું
- સંખ્યાબળ સામે નત મસ્તક થાઉ છું કહી શિવરાજ ચૌહાણે રાજયપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું: રાજયમાં કોંગ્રેસને ૧૧૪ તથા ભાજપને ૧૦૯ બેઠકો પ્રાપ્ત થઇ છે : કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે ૧ર૧ સભ્યોના સમર્થન સાથે રાજયમાં સરકાર રચવા દાવો કર્યો
ભોપાલ:
મધ્યપ્રદેશ વિધાનસભાના તમામ પરીણામો જાહેર થયા બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથ, જયોતીરાદિત્ય સિંધીયા સહિતના કોંગ્રેસના નેતાઓએ રાજયપાલને મળી સરકાર રચવા કનિદૈ લાકિઅ દાવો કર્યો છે. તેઓએ કુલ ૧ર૧ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. જેમાં સપા-બસપાનો સમાવેશ થાય છે. કોંગ્રેસને રાજયમાં ૧૧૪ બેઠકો પ્રાપ્ત થઇ કનિદૈ લાકિઅ છે. આ પહેલા શિવરાજસિંહ અકિલા ચૌહાણે પરાજયનો સ્વીકાર કરી પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને કહયું હતું કે સંખ્યાબળ આગળ અમે નત મસ્તક કનિદૈ લાકિઅ થયા છીએ. આમ મધ્યપ્રદેશમાં હવે કોંગ્રેસની સરકાર રચાશે. આજે બપોરે વિધાનસભા અકીલા પક્ષની બેઠક મળી રહી છે જેમાં નેતાની પસંદગી કરવામાં આવશે. કનિદૈ લાકિઅ કોંગ્રેસે રાજયમાં ર૩૦માંથી ૧૧૪ બેઠકો જીતી છે જયારે ભાજપને ૧૦૯ બેઠકો મળી હતી. સરકાર રચવા સપા અને બસપાએ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કનિદૈ લાકિઅ કરી હતી. બસપાના સુપ્રિમો માયાવતીએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં ભાજપને રોકવા માટે અમે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. રાજસ્થાનમાં પણ સમર્થન કનિદૈ લાકિઅ આપશું. માયાવતીએ કહયું હતું કે ભાજપની ખોટી નીતીઓ અને ખોટી પ્રણાલીથી પ્રજા ત્રાસી ગઇ હતી અને તેથી લોકોએ તેનો જાકારો આપ્યો છે. મધ્યપ્રદેશમાં કનિદૈ લાકિઅ બસપાના બે ધારાસભ્યો ચુંટાયા છે. અહીં સપાને પણ એક બેઠક મળી છે અને અખિલેશે પણ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી છે. દરમિયાન આજે બપોરે કનિદૈ લાકિઅ ૪ વાગ્યા બાદ કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળી રહી છે જેમાં કમલનાથ, દિગ્વીજયસિંહ, જયોતીરાદિત્ય સિંધીયા, પ્રભારી મહામંત્રી દિપક બાબરીયા સહિતના નેતાઓ હાજર રહેશે. આ બેઠકમાં સર્વાનુમતે નેતાની પસંદગી કરવામાં આવશે.
રાજ્યપાલે કોંગ્રેસને આપ્યું આમંત્રણ:- મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કોંગ્રેસને બપોરે 12 વાગે મળવા માટે આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ તેમની બહુમતી રજૂ કરીને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરશે. નોંધનીય છે કે, આ દરમિયાન બીજેપી નેતા શિવરાજ સિંહ ચૌહાણ પણ રાજ્યપાલને મળીને તેમનું રાજીનામું સોંપશે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસે પરિણામોની સ્થિતિ સ્પષ્ટ થતાં પહેલાં જ મંગળવારે રાતે રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસે મળવાનો સમય માંગ્યો હતો. કોંગ્રેસ પાર્ટી રાજ્યપાલ સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માગતી હતી.
શું કહ્યું શિવરાજ સિંહ ચૌહાણે?:- મધ્યપ્રદેશમાં 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેલા બીજેપી નેતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અમારી પાસે બહુમત ન હોવાથી અમે સરકાર બનાવવાનો દાવો નહીં કરીએ. હું રાજ્યપાલને મારું રાજીનામું સોંપીશ.
– રાજીનામું સોંપ્યા પછી શિવરાજ સિંહે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, હવે હુ મુક્ત છું, હવે હુ આઝાદ છું.
– શિવરાજ સિંહે કમલનાથને કોંગ્રેસની જીત માટે અભીનંદન પણ પાઠવ્યા હતા.