રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

0
1129

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા છે. ગઇ કાલે ૧૧ લાખ રૂપિયાની ઉઘરાણીના મામલે નાણાં ધીરધારનો ધંધો કરનાર વ્યકિતની બે ભાઇઓએ હત્યા કરી દીધી છે. મરનાર વ્યકિત હત્યા કરનાર બન્ને ભાઇઓના વેવાઇ પક્ષમાં થાય છે. રૂપિયાની ઉઘરાણીથી અકળાઈને બન્ને ભાઇઓએ સંબંધ ભૂલીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે.

સુભાષ‌િબ્રજ વિસ્તારમાં આવેલ હર ભોલે સોસાયટીમાં રહેતા અને નાણાં ધીરધારનો ધંધો કરતા હિતેશભાઇ શાં‌િતલાલ શાહે રાણીપ પોલીસ સ્ટેશનમાં બે ભાઇઓ વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. હિતેશભાઇના ૫૦ વર્ષીય ભાઇ પંકજભાઇ શાહપુરમાં આવેલ સાકળી શેરીમાં રહે છે અને નાણાં ધીરધારનો તેમજ શેરબજારનો ધંધો કરે છે. પંકજભાઇ તેમની રપ વર્ષની પુત્રી સાથે રહે છે.

ર૦ વર્ષ પહેલાંથી તેમની પત્ની તેમને છોડીને જતી રહી ત્યારથી પંકજભાઇ પુત્રી સાથે એકલા રહે છે. પંકજભાઇના પિતરાઇ મુકેશના મિત્ર રાજુભાઇ હીરાચંદ જૈન, તેના ભાઇ રમેશભાઇ જૈન અને પોપટભાઇ જૈનની ભાણીએ દસ વર્ષ પહેલાં લવમેરેજ કર્યાં હતાં. પંકજભાઇના કુટુંબમાં લવમેરેજ કર્યાં હોવાથી રાજુભાઇ અને પોપટભાઇ વેવાઇ પક્ષે થતા હતા.

રાજુભાઇને જ્યારે પણ રૂપિયાની જરૂર પડતી હતી ત્યારે તે પંકજભાઇ પાસેથી રૂપિયા લઇ જતા હતા. થોડાક દિવસ પહેલાં પંકજભાઇએ ‌િહતેશભાઇને જણાવ્યું હતું કે રાજુભાઇએ તેની પાસેથી ૧૧ લાખ રૂપિયા લઇ ગયા છે. અવારનવાર રૂપિયાની માગણી કરી હોવા છતાંય તે આપતા નથી. ‌િહતેશભાઇએ પણ રાજુભાઇને રૂપિયા આપી દેવાનું કહ્યું હતું, પરંતુ તેમણે થોડાક સમયમાં રૂપિયા આપી દઇશું તેમ જણાવ્યું હતું.

ગઇ કાલે સાંજના પાંચ વાગ્યાની આસપાસ પંકજભાઇ તેમની માતા અને ભાઈ હિતેશને મળવા સુભાષ‌િબ્રજ ખાતે આવેલ તેમના ઘરે આવ્યા હતા. માતાને મળીને તે પરત ઘરે જવા માટે નીકળ્યા ત્યારે કનુભાઇ નામનો યુવક હીતેશભાઇ પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે કેશવનગરની સતલજ સોસાયટી પાસે પંકજભાઇનો ઝઘડો થયો છે. હીતેશભાઇ તરત જ સતલજ સોસાયટી પાસે પહોંચી ગયા, જ્યાં પંકજભાઇ બેભાનાવસ્થામાં રોડ પર પડ્યા હતા.

આ સમયે પંકજભાઇના મિત્ર ધીરેનભાઇ ઠક્કર ત્યાં ઊભા હતા. તેમણે ‌િહતેશભાઇને કહ્યું હતું કે રાજુભાઇ જૈન (રહે. હર ભોલે સોસાયટી, સુભાષબ્રિજ) પંકજભાઇ પાસે તેમને રૂપિયા આપવા લઇ ગયા હતા. પંકજભાઇ અને ધીરેનભાઇ ચા પીતા હતા ત્યારે રાજુભાઇ આવ્યા હતા અને ચાલો, તમને તમારા રૂપિયા આપી દઉં તેમ કહીને સતલજ સોસાયટી પાસે લઇ ગયા હતા.

સતલજ સોસાયટી પાસે રાજુભાઇનાે ભાઇ પોપટભાઇ ત્યાં ઊભો હતો. ધીરેનભાઇએ ‌િહતેશભાઇને જણાવ્યું હતું કે પોપટભાઇએ પંકજભાઇને કહ્યું હતું કે તું કેમ અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરે છે. પોપટભાઇએ સીધા જ પંકજભાઇની ફેંટ પકડી લીધી હતી અને મારામારી શરૂ કરી દીધી હતી.

પોપટભાઇ અને રાજુભાઇ પંકજભાઇને ઢોર માર મારતા હતા ત્યારે ધીરેનભાઇ ત્યાં દોડી ગયા હતા. દરમિયાનમાં બન્ને ભાઇઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા જ્યારે પંકજભાઇ રોડ પર પડી ગયા હતા. હીતેશભાઇ પંકજભાઇને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતુ. ઘટનાની જાણ રાણીપ પોલીસને થતાં તેઓ તાત્કા‌િલક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે રાજુભાઇ અને પોપટભાઇ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે ત્યારે પંકજભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે. ઉલ્લેખનીય છે કે નવા વર્ષની શરૂઆતથી હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી રહ્યો ત્યારે વધુ એક હત્યા થઇ છે. નવા વર્ષથી અત્યાર સુધી કુલ સાત હત્યા થઇ છે, જેમાં એસજી હાઇવે અને જીવરાજપાર્કમાં પ્રેમપ્રકરણમાં હત્યા થઇ છે જ્યારે શાહીબાગમાં સામાન્ય બાબતે બે હત્યા થઇ છે. અમરાઇવાડીમાં પણ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યારે વધુ એક હત્યા થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here