રેલવે સ્ટેશનની કાયાપલટને પગલે ૩૦ એપ્રિલ સુધી ટ્રેનોનાં સમયમાં ફેરફાર

0
1008
newsmobile.in

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨૫
રાજ્યના પાટનગરના રેલવે સ્ટેશનની કાયાપલટની કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર સ્ટેશન અદ્યતન બનાવવાની કામગીરીને પગલે પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
આગામી ૩૦ સુધી આ કામગીરી ચાલુ રહેશે જેમાં શાંતિ એકસપ્રેસ તેમ જ અમદાવાદ અને આણંદની મેમુ ટ્રેનોની આવનજાવનમાં ફેરફાર થનાર છે. ટાઈમમાં ફેરફાર થનારી ટ્રેનો આ મુજબ છે. ટ્રેન નં.૧૯૩૦૯ ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધી અમદાવાદથી દોડશે અને ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રદ્‌ રહેશે.
૨૯ એપ્રિલ ૨૦૧૯ સુધી ઇન્દોરથી ઉપડનારી ટ્રેન નં.૧૯૩૧૦ ઇન્દોર -ગાંધીનગર શાંતિ એક્સપ્રેસોને પણ અમદાવાદમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે તથા આ ટ્રેન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કેન્સલ રહેશે.
ટ્રેન નં. ૬૯૧૯૧ આણંદ-ગાંધીનગર મેમૂ તારીખ ૨૯ એપ્રિલ ૨૦૧૯ સુધી કેન્સલ રહેશે. ટ્રેન નં. ૬૯૧૯૨ ગાંધીનગર-આણંદ મેમૂ તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધી કેન્સલ રહેશે. ટ્રેન નં. ૬૯૧૩૧/૬૯૧૩૨ અમદાવાદ-ગાંધીનગર – અમદાવાદ મેમૂ તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધી કેન્સલ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here