વટવા પોલીસ કસ્ટડીમાં જુગારીની મોત થતા મામલ બિચક્યો

0
1208

સામાજિક કાર્યકરો અને ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો

 
અમદાવાદ
અમદાવાદમાં આવેલ વટવા વિસ્તારમાં સ્થિતિ તંગ બની છે, અહીં એક ટોળા દ્વારા પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વટવા પલીસ ચોકીમાં જુગારના આરોપીનું મોત થતા સમગ્ર મામલો બિચક્યો હતો. હાલ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડડી દેવામાં આવ્યો છે.
સૂત્રોની માહિતી મુજબ શહેરના ઓદ્યોગિક વિસ્તાર વટવામાં પોલીસ સ્ટેશન બહાર કેટલાક લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો કારણ કે વટવા પોલીસ સ્ટેશનમાં જુગારના આરોપીનું કસ્ટડી દરમિયાન મોત નિપજ્યું હતું. જેને લઇને મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરાયો હતો, મૃતકના પરિવારજનો અને મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઇને મૃતદેહને પોલીસ સ્ટેશનમાં જ મૂકી રાખ્યો હતો.
પોલીસ સાથે સંઘર્ષ પછી વિસ્તારના સામાજિક કાર્યકરોએ પણ આ મામલે ઝંપલાવ્યું હતું અને ટોળાને ઉશ્કેરીને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પછી પરિસ્થિતિઓએ ગંભીર રૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર વિસ્તારમાં સ્થિતિ તણાવભરી બની હતી. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બદબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here