કોંગ્રેસમાં જ હતાશા, નિરાશા અને તીવ્ર જૂથબંધી હોવાથી સંગઠનનું માળખું જમ્બોજેટ કરવું પડયું છે.
કોંગ્રેસ વાદ-વિવાદ, જાતિવાદ અને પ્રાંતવાદ ફેલાવી રહી છે. – ભરત પંડયા
————
અફવા, અપપ્રચાર, ઉશ્કેરાટ, વેરઝેર, હિંસા – આ સમગ્ર માનવજીવનને અસ્થિર અને
ગુજરાતને બદનામ કરવાના કોંગ્રેસના ઘાતક પરીબળોને ગુજરાતની જનતા કયારેય સફળ થવા દેશે નહીં.– ભરત પંડયા
————
શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના 13 વર્ષ અને પ્રધાનમંત્રીશ્રીના 4વર્ષ દરમ્યાન કોંગ્રેસ ભ્રષ્ટાચાર મુદ્દે
એક પણ આક્ષેપ કરી શકી નથી. “હવે ચૂંટણી આવે છે” એટલે કોંગ્રેસ રાજકીય ફટાણા ગાવા લાગી છે. – ભરત પંડયા
————
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ભ્રષ્ટાચાર સામેના એકશનને આક્ષેપમાં કન્વર્ટ કરવો એ “ચોર કોટવાલને દંડે”
તેવાં કોંગ્રેસના નિવેદનો હાસ્યાસ્પદ પૂરવાર થાય છે.
————
મગફળીમાં પણ મોટાભાગના કોંગ્રેસના લોકો પકડાયા છે. પ્રાંતવાદના મુદ્દે પણ હિંસાત્મક નિવેદનો અને
તોડફોડમાં કોંગ્રેસનાં જ લોકો જવાબદાર સાબિત થયાં છે.
————
વિપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ કરેલા આક્ષેપો એ તદ્દન જૂઠ્ઠા, પાયા વગરના અને માત્ર અપપ્રચાર છે. તેમ જણાવતાં ભાજપના પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જ હતાશા, નિરાશા અને તીવ્ર જૂથબંધી હોવાથી સંગઠનનું માળખું જમ્બોજેટ કરવું પડયું છે. કોંગ્રેસ પોતે હતાશામાં હોવાથી વાદ-વિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ ફેલાવી રહી છે. જે ગુજરાતની પ્રકૃતિ, સંસ્કૃતિ વિરૂદ્ધની માનસિકતા છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુજી એ કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર સામે એકશન લે છે ત્યારે એકશનનો વિરોધ કરવો અને એકશનને જ આક્ષેપમાં કન્વર્ટ કરવો એ કોઈ કાળે ઉચિત નથી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ભ્રષ્ટાચાર સામેના અભિયાનમાં કોંગ્રેસના ધારાસભ્ય જેલમાં છે. મગફળીમાં પણ મોટાભાગના કોંગ્રેસના લોકો પકડાયા છે. પ્રાંતવાદના મુદ્દે પણ હિંસાત્મક નિવેદનો અને તોડફોડમાં કોંગ્રેસનાં જ લોકો જવાબદાર સાબિત થયાં છે. ત્યારે “ચોર કોટવાલને દંડે” તેવાં કોંગ્રેસના નિવેદનો હાસ્યાસ્પદ પૂરવાર થાય છે. અફવા, અપપ્રચાર, ઉશ્કેરાટ, વેરઝેર, હિંસા આ સમગ્ર માનવજીવનને અસ્થિર અને ગુજરાતને બદનામ કરવાના કોંગ્રેસના ઘાતક પરીબળોને ગુજરાતની જનતા કયારેય સફળ થવા દેશે નહીં.
શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પ્રમાણિક અને પ્રભાવી નેતૃત્વ છે. તેવું દેશ-વિદેશના તમામ લોકો કહી રહ્યાં છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના 13 વર્ષ અને પ્રધાનમંત્રીશ્રીના 4વર્ષ દરમ્યાન કોંગ્રેસ ભ્રષ્ટાચાર મુદ્દે એક પણ આક્ષેપ કરી શકી નથી. “હવે ચૂંટણી આવે છે” એટલે રાજકીય ફટાણા ગાવા લાગી છે. ગુજરાતની જનતા ગુજરાતના સપૂત વિકાસપ્રિય અને લોકપ્રિય શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓળખે છે અને કોંગ્રેસના ભૂતકાળના લાખો કરોડના કાળા કરતૂતો અને વર્તમાનમાં અશાંતિ, હિંસા, ફેલાવવાના ષડયંત્રોને પણ જાણી ચૂકી છે. એટલે ગુજરાતની જનતા કયારેય કોંગ્રેસને સ્વીકારવાની નથી.