મોડી રાત સુધી CBIની ટીમોનું સર્ચ ઓપરેશન ચાલી શકે છે વડોદરા શહેરના બેંક કૌભાંડને લઇને 7થી વધુ જગ્યાએ CBIની ટીમોએ દરોડા પાડ્યા છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી જ્ઞાન જીવન રેસિડેન્સીમાં CBIની બે ટીમોએ દરોડા પાડ્યા છે. જ્ઞાન જીવન રેસિડેન્સી ના ફ્લેટ નં-101માં રહેતા ધ્રુમિલ જોશી નામના વ્યક્તિને ત્યાં CBIએ સર્ચ શરૂ કર્યું છે. ધ્રુમિલ જોશીએ બેંક કૌભાંડ આચર્યુ હોવાથી સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શુભેન્દુ મિશ્રા નામના વ્યક્તિને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. મુંબઇ અને સ્થાનિક CBIની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલી શકે છે. કારેલીબાગના અંબાલાલ પાર્કમાં આવેલી જય રણછોડ નામની બિલ્ડીંગમાં આગ લગાવી વીમો પકવ્યો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જ્ઞાન જીવન રેસિડેન્સીના દરોડાના તાર જય રણછોડ બિલ્ડીંગ સાથે જોડાયેલા છે.
Home Gujarat News CBIની રેડ:બેંક કૌભાંડ મામલે વડોદરાના કારેલીબાગની જ્ઞાનજીવન રેસિડેન્સી સહિત 7થી વધુ સ્થળોએ...