ઓડિશા : ઓડિશાના દરિયાકિનારે આવેલ ઈન્ટરગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ચંદિપુર ખાતેથી વર્ટિકલ એટલે કે સીધી રીતે લોન્છ થતી મિસાઈલનુ પરિક્ષણ હાથ ધરાયુ હતુ. DRDO દ્વારા દેશમાં જ નિર્માણ પામેલ અને ડિઝાઈન થયેલ આ મિસાઈલ VL-SRSAMને ભારતીય નેવીના ઉપયોગ માટે બનાવવામાં આવી છે. આ મિસાઈલ વડે આકાશમાંથી આવતા ખતરાને આકાશમાં જ ખત્મ કરવામાં આવશે. મિસાઈલને વર્ટિકલી લોન્ચિંગ કરવાની ક્ષમતાનુ પરિક્ષણ કરાયુ હતુ જેમાં સફળતા મળી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે મિસાઈલના સફળ પરિક્ષણ બદલ DRDOને અભિનંદન પાઠવ્યા છે.
Home Gujarat News Ahmedabad DRDOએ વર્ટિકલ લોન્ચ થતી જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનુ પરિક્ષણ કર્યુ