શ્રીનગરઃ જમ્મુ-કશ્મીરનાં ત્રાલમાં છૂપાયેલ જૈશ એ મોહમ્મદનાં ત્રણ આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કરી દીધાં છે. આ આતંકીઓમાં એક સ્નાઇપર પણ શામેલ હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પુલવામા જિલ્લામાં ત્રાલ વિસ્તારનાં ચાનકેતાર ગામમાં આતંકવાદીઓનાં છુપાયા હોવાની ખુફિયા સૂચના મળ્યા બાદ જમ્મુ-કશ્મીર પોલીસનાં વિશેષ અભિયાન સમૂહ (એસઓજી), સેના અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ)નાં એક સંયુક્ત ઘેરાબંધી અને તપાસ અભિયાન પણ શરૂ કર્યું હતું.
સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી શરૂ કરી ત્યારે જ છુપાયેલા આતંકવાદીઓએ સ્વચાલિત હથિયારોથી તેઓની પર ગોળીઓ વરસાવવાની શરૂ કરી. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીની સાથે જ અથડામણ શરૂ થઇ ગઇ હતી.