નરોડા સામુહિક આપઘાત કેસમાં કૃણાલની માતા જયશ્રીના નિવેદન પરથી પોલીસે આજે ખુલાસો કર્યો છે કે કૃણાલની પુર્વ પ્રેમિકાના કારણે પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો. કૃણાલની માતા જયશ્રી બેને આજે પોલીસના જણાવ્યું હતું કે પારિવારિક ઘરકંકાસના કારણે ઘરનો માહોલ સારો ન હતો. જેથી આ પગલું ભર્યું હોય તેમ બની શકે છે. પોલીસ જયશ્રીબેનના નિવેદના આધારે આ સમગ્ર પ્રકરણ ઘર કંકાસ સાથ જોડી રહી છે. પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે કૃણાલ એવું માનતો હતો કે તેની પૂર્વ પ્રેમિકાની આત્મા તેને પોતાની તરફ ખેંચી રહી છે. જેથી કૃણાલ-કવિતા વચ્ચે ઝઘડો પણ થયો હતો. હાલ પોલીસ આ સમગ્ર પ્રકરણની વધુ ખુટતી કડીઓ મેળવવા પ્રયાસ કરી રહી છે.લીસે શું જણાવ્યું ?
નરોડા સામૂહિક આપઘાત પ્રકરણમાં કૃણાલના માતા જયશ્રીબેનના નિવેદન પરથી પોલીસે જણાવ્યું છે કે, કૃણાલ-કવિતા-શ્રીનના મોત નીપજ્યા હતા. કોઈએ ફોન ના ઉપાડતા આ સમગ્ર ઘટના સામે આવી હતી. તે પહેલા 3 સુટકેશ પેક કરીને તેઓએ ડ્રાઈવરને આપી હતી, જે કવિતાની બહેનને મોકળી હતી. ઘરની અંદર અવાર-નવાર ઝઘડાઓ થતા હતા. એટલે ઘરનો માહોલ બગડેલો હતો. કૃણાલે બોપલનું મકાન પણ વહેંચી દીધુ હતું. પોલીસે જણાવ્યું કેકૃણાલની સુસાઈડ નોટ ઘરના અરીશા પરથી મળી હતી. કૃણાલની પૂર્વપ્રેમિકાના કૃણાલ સાથે લગ્ન ન થતા તેને આત્મહત્યા કરી હતી. કૃણાલને એવો એહસાસ થતો હતો કે પૂર્ણપ્રેમિકાની આત્મા તેને ડરાવે છે
Home Gujarat News Ahmedabad કૃણાલની માતાનું પોલીસને નિવેદનઃ પૂર્વ પ્રેમિકા મામલે વારંવાર થતો હતો પતિ-પત્ની વચ્ચે...