રાજકોટ: રાજકોટના રિબડા ગામના રહેવાસી પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાએ 84 વર્ષની ઉંમરે કોરોનાને હરાવી હિંમત ભેર લોકોને કોરોના સામે લડવા અપીલ કરી છે.મહિપતસિંહ જાડેજા પોતાના ઘરે જ હોમ કવોરેનટાઈન થયા હતા અને 15 દિવસ બાદ સંપૂર્ણ સ્વસ્થ બન્યા હતા.મહિપતસિંહ જાડેજાએ ભારત સરકાર દ્વારા લોકો ને આપવામાં આવતી કોરોના રસી અવશ્ય લેવા માટે પણ અપીલ કરી છે.મહિપતસિંહ જાડેજા કોરોના મુક્ત બન્યા બાદ પોતાની મરણમૂડી સમાન સંપત્તિ પરિવાર તથા દીકરીઓને અર્પણ કરી હતી.