(જી.એન.એસ)ચેન્નાઇ,તા.૨૫
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જેવા ખર્ચાળ અને ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવા ઓપરેશનની દુનિયામાં તબીબોએ એક નવી સફળતા પ્રાપ્ત કરી છે. દેશમાં પ્રથમ કહી શકાય તેવા કિસ્સામાં ચેન્નાઈના તબીબોએ બે વર્ષના બાળકને બે વર્ષના જ બ્રેઇન ડેમેજ થયેલા બાળકનું હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કર્યુ છે.ચેન્નાઈની ફોર્ટીસ મલાર હોસ્પીટલ ખાતે તબીબોએ આ ઓપરેશન કર્યુ હતું જેમાં તામિલનાડુના વીલ્લુપુરમના બાળકનું હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
બે વર્ષના બાળકને કાર્ડિયોપથી સાથે સિવિયર એલ વી ડાયફન્ક્શનની તકલીફ સર્જા હતી. ખૂબ જ સારવાર અને દવાઓ આપવા છતાં બાળકની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નહતો. તબીબોએ પરિવારજનોને સૂચના આપી હતી કે આ બાળકને બચાવવા માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ઓપ્શન બાકી રહેતો હતો. પરિવારે તૈયાર દર્શાવતા બાળકની નોંધણી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ રજિસ્ટ્રીમાં કરવામાં આવી હતી.
ચેન્નાઈના આ બાળકનું નસીબ સારૂ હતું એટલે તેને મુંબઈમાં બ્રેઇન ડેમેજ થયેલા બાળકનું હ્રદય મળ્યું હતું. આ બાળક પણ બે વર્ષનું જ હતું અને તેને ૧૦મી ફેબ્રુઆરીએ ઇરિવર્સીબલ બ્રેઇન ડેમેજ થયું હતું. આ બાળકના પરિવારે ઓરગન ડોનેશન કરવાનો નિર્ધાન કર્યો હતો જેથી કરી અને ઓછામાં ઓછા ૬ જણાની જીંદગી બચાવી શકાય. જાકે, ચેન્નાઈના બાળકના નસીબમાં આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થવાનું લખ્યું હોવાથી તેને અન્ય વેઇટિંગ લિસ્ટમાં સામેલ લોકો કરતાં પહેલાં આ હ્રદય મળી ગયું હતુ. ચેન્નાઈથી તબીબોની ટીમ એર એમ્બુલન્સના માધ્યમથી મુંબઈ ગઈ હતી અને તેને આ હ્રદય મળ્યું હતું.
આ કિસ્સામાં ૨ વર્ષનો ઓરગન ડોનર દેશનો સૌથી નાની વયનો ઓરગન ડોનર તરીકે નોંધાયો હતો. આ ડેલિકેટ ઓપરેશનને ડા. આર. બાલાક્રિષ્નન, ડા, સુરેશ રાવય દ્વારા કરવામાં આવ્યું હતું. સૌથી મહત્વપૂર્ણ બાબત એ હતી કે આ સમગ્ર ઓપરેશનનો ખર્ચ વીમાની સ્કીમ અંતર્ગત ઊઠાવવામાં આવ્યો હતો જેમાં એક વર્ષ સુધીના દવાના ખર્ચની પણ જોગવાઈ હતી.