મોરબીના માળીયા ફાટક નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા ચારનાં મોત

0
299
જ્યારે એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનથી રોજગારી માટે મોરબીમાં ચારેય યુવાનો આવ્યા હતા
જ્યારે એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનથી રોજગારી માટે મોરબીમાં ચારેય યુવાનો આવ્યા હતા

મોરબી: શહેરની નજીક માળીયા ફાટક ચોકડી પાસે પાંચ સવારી બાઇકને અજાણ્યા વાહને અડફેટે લેતા ચાર યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનથી રોજગારી માટે મોરબીમાં ચારેય યુવાનો આવ્યા હતા અને આજે વહેલી સવારે પીપળી રોડ ઉપરથી એક યુવાન બાઇક લઈને લેવા માટે આવ્યો હતો ત્યારે તેના બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા ચાર યુવાનોના મોત નીપજ્યાં હતાં. પોલીસે આ બનાવની નોંધ કરીને અકસ્માત સર્જી નાસી છુટેલા વાહનને પકડવા માટે અને ફરિયાદ લેવા માટે તેને તજવીજ હાથ ધરી હતી.આ ગોઝારા બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે આજે વહેલી સવારના ચાર વાગ્યાના અરસામાં મોરબી માળિયા ફાટક ચોકડી પાસેથી એક જ બાઈકમાં પાંચ સવારીમાં યુવાનો પસાર થઈ રહેલા હતા ત્યારે આ યુવાનોના બાઇકને અજાણ્યા વાહને હડફેટે લીધુ હતું. જેમાં બે સગા ભાઈ શિવાજી પ્રતાપભાઈ ગામેતી (ઉંમર ૧૯), સુરેશ પ્રતાપભાઈ ગામેતી (ઉંમર ૧૮), તેજારામ વક્તરામ ગામેતી (ઉંમર ૧૭), અને શિવાજી પ્રતાપભાઇ ગામેતીનો સાળો જેની (ઉંમર ૧૯)નાં મોત થયાં હતાં.પોલીસ સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ, મૃતક ચારેય રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ઘોઘુંદા તાલુકાના મૌખી ગામના રહેવાસી છે અને રોજગારી મેળવવા માટે ગુરૂવારે સવારે જ રાજસ્થાનથી આવ્યા હતા. એસટીની બસમાં મોરબી આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here