વારાણસીના સંકટ મોચન મંદિરને ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળ્યો

0
1047

એજન્સી, વારાણસી

વારાણસીના વિશ્વ પ્રસિદ્ધ હનુમાનજીના સંકટ મોચન મંદિરને બોમ્બ બ્લાસ્ટમાં ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળવાનાં કારણે ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. આ પત્રમાં ધમકી આપવામાં આવી છે કે આ બ્લાસ્ટ ૨૦૦૬ના બ્લાસ્ટ કરતા પણ મોટો અને ભયાનક હશે. સંકટ મોચન મંદિરના મહંત પ્રો. વિશ્વંભરનાથ મિશ્રના જણાવ્યા અનુસાર સોમવાર રાત્રે એક ધમકી ભર્યો પત્ર મળી આવ્યો હતો.

મંદિરના મહંત પ્રો. વિશ્વંભરનાથ મિશ્રએ જણાવ્યું કે તેમાં લખ્યું હતું કે, ‘મંદિરમાં માર્ચ ૨૦૦૬ કરતા પણ ભયાનક બ્લાસ્ટ થશે. તેમજ પત્રમાં એમ પણ લખ્યું છે કે આ ધમકીને મજાકમાં લેવાની ભૂલ ન કરવી.’ મંગળવારે મોડી રાત્રે પ્રો. વિશ્વંભરનાથ મિશ્રએ લંકા પોલીસ સ્ટેશનમાં જઈને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ પત્રમાં લખેલ નામ અનુસાર જમાદાર મિયાં અને અશોક યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધીને પોલીસે તમાસ શરૂ કરી દીધી છે.

૭ માર્ચ ૨૦૦૬ના રોજ સંકટ મોચન મંદિર, કેન્ટ સ્ટેશન અને દશાશ્વમેઘ ઘાટ પર સીરીયલ બ્લાસ્ટ થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટમાં સંકટ મોચન મંદિરમાં સાત અન કેન્ટ સ્ટેશન પર ૧૧ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે આ સીરીયલ બ્લાસ્ટમાં ૧૦૦થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here