સુકમા: સેના અને નક્સલીઓ વચ્ચે થયેલ અથડામણમાં આઠ નક્સલીઓ ઠાર, બે જવાન શહીદ

0
1046
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમામાં સેના અને નક્સલીઓ વચ્ચે થયેલ અથડામણમાં આઠ નક્સલીઓ ઠાર થયા છે. આ અથડામણમાં બે જવાનો પણ શહીદ થયા છે. સુકમાના એસપી અભિષેક મીણાએ જણાવ્યું કે, એનકાઉન્ટરમાં સોમવાર સવારે સકલાર ગામમાં થયુ હતું. આ અથડામણમાં એસટીએફ અને ડીઆરજીએ સાથે મળીને આ ઓપરેશન હાથ ધર્યું હતું.
સુકમા એસપી અભિષેક મીણાએ જણાવ્યું કે, ‘અથડામણમાં સાતથી આઠ નક્સલવાદીઓ માર્યા ગયા છે જ્યારે અમારા બે ડીઆરજી જવાન પણ શહીદ થયા છે. એસટીએફ અને ડીઆરજીએ સાથે મળીને આ એનકાઉન્ટર કર્યું હતું. સુકમા જિલ્લાના સકલાર ગામમાં નક્સલીઓ છુપાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here