આમરણાંત ઉપવાસનો આજે 13મો દિવસ છે. ઉપવાસને પગલે તે અશક્ત બની ગયો છે. ઊભા થવાની પણ તેનામાં તાકાત રહી નથી. તેને ઉપવાસી છાવણીમાં જવા અને બહાર નીકળવા માટે પણ વ્હિલચેર અને મિત્રો સહારો લેવો પડી રહ્યો છે. હાર્દિકે 25મી ઓગસ્ટથી 13 દિવસનો ઉપવાસનો કાર્યક્રમ નિર્ધારિત કર્યો હતો. તેને વિશ્વાસ હશે કે 13 દિવસમાં તેની માંગ સરકાર માની જશે. પરંતુ હાલની સ્થિતિમાં સરકાર તરફથી તેની માંગ સંતોષાય તેવું જણાઈ રહ્યું હોય તેવું લાગતું નથી.
Home Gujarat News Ahmedabad હાર્દિક ‘અશક્ત’: ઊભો ન થઈ શકતા ઉપવાસી છાવણી પહોંચવા વ્હિલચેર-મિત્રોનો સહારો