દેશમાં 24 કલાકમાં કોરોનાથી 1,206 મોત, મહારાષ્ટ્ર અને કેરળમાં ચિંતા વધી

0
243
દેશમાં કોરોનાના અત્યારસુધી 3,07,95,716 કેસ નોંધાયા છે. જેમાંથી 2,99,33,538 લોકો સાજા થયા છે. દેશમાં હાલ રિકવરી રેટ 97.2 ટકા થયો છે.
દેશમાં કોરોનાના અત્યારસુધી 3,07,95,716 કેસ નોંધાયા છે. જેમાંથી 2,99,33,538 લોકો સાજા થયા છે. દેશમાં હાલ રિકવરી રેટ 97.2 ટકા થયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) તરફથી શનિવારે સવારે જાહેર કરેલા આંકડા (Coronavirus News Updates) પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના 42,766 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં 24 કલાકમાં 45,254 લોકો સાજા થયા છે. દેશમાં હાલ કુલ 4,55,033 એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાના અત્યારસુધી 3,07,95,716 કેસ નોંધાયા છે. જેમાંથી 2,99,33,538 લોકો સાજા થયા છે. દેશમાં હાલ રિકવરી રેટ 97.2 ટકા થયો છે.કોરોનાથી થયેલા મોતની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 1,206 લોકોનાં મોત થયા છે. મોતનું પ્રમાણ 1.3 ટકા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોનો કુલ આંકડો 4,07,145 થયો છે. હાલ દેશ પર ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે આ ખતરાને ખાળવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં અત્યારસુધી કુલ 37,21,96,268 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,563 નવા કેસ નોંધાય છે. આ દરમિયાન રાજ્યમાં 130 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના 8,992 કેસ નોંધાયા છે, જ્યારે 738 લોકોનાં મોત થયા છે. તાલિમનાડુમાં 24 કલાકમાં કોરોનાથી 69 લોકોનાં મોત થયા છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કુલ 68 લોકોનાં કોરોનાથી મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here