અમદાવાદનાં સ્મશાનોમાં મૃતદેહોના 24 કલાક અંતિમસંસ્કાર, વાડજમાં રાત્રે સ્મશાનની ચીમનીમાંથી આગનાં તણખાં ઊડ્યાં

0
205
વાડજ સ્મશાનમાં ચીમનીમાંથી રાત્રે રીતસરના આગનાં તણખાં ઊડતાં દેખાયાં.
વાડજ સ્મશાનમાં ચીમનીમાંથી રાત્રે રીતસરના આગનાં તણખાં ઊડતાં દેખાયાં.

અમદાવાદ શહેરમાં મોતનો આંકડો હવે ભયાનક સ્થિતિમાં પહોંચી ગયો છે. કોરોનાથી થતાં મોત અને સંક્રમિત થનારા લોકોના આંકડાથી લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે મૃતદેહને અગ્નિદાહ આપવા માટે પણ શહેરના સ્મશાન 24 કલાક ચાલુ છે. સ્મશાનમાં મૃતદેહો એટલા બધા પ્રમાણમાં આવે છે કે હવે સ્મશાનની ચીમનીઓ પીગળવાની તૈયારી છે. આનાથી પણ વધુ ભયાવહ સ્થિતિ એવી છે કે શહેરમાં સ્મશાનની ચીમનીઓમાંથી આગ નીકળી રહી છે. વાડજમાં સોમવારે રાત્રે સ્મશાનમાં ભયાનક દૃશ્યો સામે આવ્યાં હતાં. રાતના સમયે સ્મશાનની ચીમનીમાંથી રીતસરની આગ નીકળી રહી હતી. અંધારામાં આ દૃશ્ય અત્યંત ખતરનાક દેખાતું હતું.સ્મશાનની ભઠ્ઠીઓ પણ ઓગળવા માંડી કોરોનાને કારણે અમદાવાદની મેડિકલ સુવિધા ખખડી ગઈ છે. શહેરમાં હાલ મૃતદેહોના નિકાલ માટે સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે. આ સમગ્ર બાબતને કારણે શહેરમાં ક્યાંય મોતનો મલાજો નથી જળવાતો. સ્મશાન પણ હવે ભયાનક બની રહ્યાં છે. જ્યાં મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવે છે એ ભઠ્ઠીઓ પણ ઓગળવા લાગી છે. એ ઉપરાંત સ્મશાનની ચીમનીઓમાંથી રીતસરની આગ નીકળી રહી છે. વાડજમાં સ્મશાનની અંદર 24 કલાક મડદા બળી રહ્યા છે.સુરતમાં સ્મશાનગૃહમાં લોખંડની ગ્રિલ પીગળી ગઈ સુરતમાં પણ સ્મશાનગૃહોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. અહીં અંતિમસંસ્કાર માટે બનાવાયેલી ચિતાની લોખંડની ગ્રિલ અને ચીમની પણ ગરમીથી પીગળી ગઈ છે. આ કારણે ત્યાં લાગેલી પાઈપલાઈનનું રિપેરિંગ કરવું પડ્યું હતું. અહીં કુલ ત્રણ સ્મશાનગૃહ છે, જેમાં રામનાથ ઘેલા, અશ્વિનીકુમાર અને જહાંગીરપુરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્મશાનમાં 24 કલાક મૃતદેહોની અંતિમક્રિયા કરાઈ રહી છે. અહીં છેલ્લા દસેક દિવસથી સરકારી શબવાહિનીઓ તેમજ ખાનગી વાહનોમાં પણ સતત મૃતદેહો લવાઈ રહ્યા છે.મોતના આંકડા ચોંકાવનારી રીતે વધી રહ્યા છે સરકારી એમ્બ્યુલન્સ એક પછી એક એમ થલતેજ સ્મશાનમાં આવી રહી છે અને ત્યાં મોતનો આંકડા ચોંકાવનારી રીતે વધી રહ્યા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ બાબતે તંત્ર દ્વારા તરત કામગીરી કરવામાં આવે એ અંગેની માગ ઊઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here