પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મામલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસે આપેલા બંધને પગલે રાજ્યમાં લાઠીચાર્જથી લઈ પથ્થરમારો થવાની હિંસક ઘટનાઓ બની છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રાજ્યની વર્તમાન સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેબિનેટ મંત્રી સૌરભ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ
બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન અને ભારત બંધ મામલે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.