ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચનો બીજો દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહ્યો છે. રોહિત શર્મા ક્રિઝ પર છે, જ્યારે ચેતેશ્વર પૂજારા અને કેપ્ટન વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યા છે. બેન સ્ટોક્સે વિરાટ કોહલીને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને બેકફૂટ પર ઉતારી દીધી છે. અજિંક્ય રહાણે રોહિત શર્માનો સાથ આપવા ક્રીઝ પર આવ્યા છે25 ઓવરની રમત બાદ ભારતનો સ્કોર 40/2 ચેતેશ્વર પુજારાના આઉટ થયા બાદ કપ્તાન વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્રીઝ પર છે રોહિત શર્મા 20 રન બનાવી રમી રહ્યા છે, ત્યારે સુકાની કોહલીનુ ખાતું ખોલવાનું બાકી છે 23.6 ઓવરમાં ટીમ ઇન્ડિયાએ ચેતેશ્વર પૂજારાના રૂપમાં બીજી વિકેટ ગુમાવી દીધી છે. પૂજારાએ 66 બોલમાં 17 રન બનાવ્યા હતા અને તે જેક લિચને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. ભારતે આ રીતે 40 રનમાં બીજી વિકેટ ગુમાવી દીધી છે. કેપ્ટન વિરાટ કોહલી રોહિતને સાથ આપવા ક્રીઝ પર આવ્યા છે – 20 ઓવર પછી, ભારતનો સ્કોર 34/1, બીજા દિવસે ઈગ્લેંડ અત્યાર સુધી આઠ ઓવર નાખી ચુક્યુ છે. , જેમાં ભારતના ખાતામાં ફક્ત 10 જ ર નનો ઉમેરો થયો છે. એન્ડરસન તેની 9 ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા છે, જ્યારે બેન સ્ટોક્સ પણ ટાઈટ બોલિંગ કરી રહ્યો છે.