ગોપીનાથજી મંદિરનું રાજકારણ ગરમાયું, બે સ્વામીને બે વર્ષ માટે કરાયા તડીપાર

0
162
બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ નહિ કરવા હુકમ કરાયો છે.
બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ નહિ કરવા હુકમ કરાયો છે.

ગઢડા : ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને બે વર્ષ માટે તડીપારનો હુકમ કરાયો છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા એસ.પી. સ્વામી અને સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીને 6 જિલ્લામાંથી હદપાર રહેવાનો હુકમ કરાયો છે. બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ નહિ કરવા હુકમ કરાયો છે. જો હુકમ કરેલ 6 જિલ્લામાં એસ.પી.સ્વામી અને સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી પ્રવેશ કરશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવાનો હુકમમાં ઉલ્લેખ કરાયો છે. હદપાર ન હુકમ સામે જો વાંધો રજૂ કરવો હોય તો હુકમની તારીખ 31 મે થી 30 દિવસમાં રાજ્ય સરકારમાં અપીલ કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here