જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાશે
આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલના આગમન વખતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પ્રભારી ગુલાબ યાદવ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
અમદાવાદ: દિલ્હીના રાજકારણ થોડા વર્ષો પહેલાં પોતાનું કદ વધારનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવા માંગે છે. પહેલાં પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા હાથ લાગી ન હતી. હવે ફરી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાની કિસ્મત અજમાવવા માટે તૈયાર છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલના આગમન વખતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પ્રભારી ગુલાબ યાદવ એરપોર્ટ પર પહોંચ્યા હતા.તો આ તરફ જાણીતા પત્રકાર ઇશુદાન ગઢવી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા છે. હાલમાં તેમની સાથે મિટિંગ ચાલી રહી છે. ત્યારબાદ તેઓ સત્તાવાર જાહેરાત કરી શકે છે.તેમણે ગુજરાતીમાં ટ્વીટ કરીને કહ્યું કે, હું આવતી કાલે ગુજરાત આવી રહ્યો છું. બધા ભાઇ બહેનોને મળીશ. આ ટ્વીટ બાદ ફરી એકવાર રાજકીય સમીકરણો બદલાવાનાં એંધાણ જોવા મળી રહ્યા છે.અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. અહીં કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. ત્યાર બાદ કાર્યકરો સાથે બેઠક કરીને પત્રકાર પરિષદનું આયોજન કરી શકે છે. બપોરે નવરંગપુરા ખાતેના આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ધાટન કરશે. અરવિંદ કેજરીવાલની આ મુલાકાત દરમિયાન વિધાનસભા માટેની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરશે. આ ઉપરાંત આપનું સંગઠન વધારે મજબુત કરવા માટે લોકોને જોડવામા આવશે. આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાનતી મુલાકાતને પણ સુચક માનવામાં આવી રહ્યું છે.