ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સતત બીજા દિવસે બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની પૂછપરછ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનસીબી વોટ્સએપ ચેટના આધાર પર અનન્યા પાંડેની પૂછપરછ કરી રહી છે જે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે છે. આ વોટ્સએપ ચેટ માં આર્યન ખાન અને અનન્યા પાંડે ગાંજા વિશે વાત કરતા હતા. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન નો પુત્ર આર્યન ખાન છેલ્લા ઘણા દિવસોથી આર્થર રોડ જેલમાં બંધ છે.એનસીબી ઓફિસ પહોંચવા માટે અનન્યા પાંડે પોતાના ઘરથી નીકળી ગઈ છે. અનન્યા તેના પિતા ચંકી પાંડે સાથે બહાર આવી હતી. અગાઉ ગુરુવારે પણ તે ચંકી પાંડે સાથે એનસીબી ઓફિસ પહોંચી હતી.ઘરની બહાર નીકળતી વખતે, અનન્યા પાંડે એ તેની કારની તમામ બારીઓ પર અખબારથી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે, જેથી વાહનની અંદર બેઠેલા લોકોને બહારથી જોઈ ન શકાય.