‘મારાથી ભૂલ થઈ ગઈ…’, કોહલી અંગે ખબર આપનારા દિગ્ગજ ક્રિકેટરે ખોટી માહિતી બદલ માંગી માફી

0
120
ડી વિલિયર્સે હવે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે અને દર્શકોની માફી માંગી છે.
સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી 5 મેચોની સીરીઝ પ્રથમ બે ટેસ્ટ મેચમાં BCCI પાસે બ્રેક માંગ્યો હતો.

નવી મુંબઇ: સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી 5 મેચોની સીરીઝ પ્રથમ બે ટેસ્ટ મેચમાં BCCI પાસે બ્રેક માંગ્યો હતો. વિરાટ કોહલી સિરીઝની બાકીની ત્રણ ટેસ્ટ મેચ રમશે કે નહીં તે અંગે હજુ કંઈ કહી શકાય નહીં. સાઉથ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સે હાલમાં જ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, વિરાટ બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. એટલા માટે તે ક્રિકેટથી દૂર છે અને પત્ની અનુષ્કા શર્મા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. હવે ડી વિલિયર્સે હવે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે અને દર્શકોની માફી માંગી છે. ડી વિલિયર્સનું કહેવું છે કે, તેણે વિરાટ-અનુષ્કા કેસને લઈને ફેન્સને ખોટા સમાચાર આપ્યા હતા તેથી તેણે મોટી ભૂલ કરી છે, તેથી તે ચાહકોની માફી માંગે છે.જ્યારે વિરાટ કોહલીએ પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તેની માતા બીમાર છે પરંતુ થોડા દિવસો પછી વિરાટના મોટા ભાઈએ સોશિયલ મીડિયા પર આ સમાચારને નકારી કાઢ્યા હતા. વિકાસે કહ્યું કે તેની માતા સારી છે અને મીડિયાને ખોટા સમાચાર ન ફેલાવવાની અપીલ કરી. કેટલાક લોકોએ કહ્યું કે, વિરાટ બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. એટલા માટે તેણે બ્રેક લીધો છે. લોકોએ અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીના સમાચારને સાચા માની લીધા જ્યારે એબી ડી વિલિયર્સ આગળ આવ્યા અને કહ્યું કે, વિરાટ બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. પરંતુ હવે ડી વિલિયર્સ કહી રહ્યો છે કે તેણે ખોટી માહિતી આપી હતી. ડી વિલિયર્સે કહ્યું કે, ‘પરિવાર ચોક્કસપણે પ્રથમ આવે છે. આ એક પ્રાથમિકતા છે. જેમ મેં મારી યુટ્યુબ ચેનલ પર કહ્યું છે. તે સમયે મારાથી મોટી ભૂલ થઈ ગઈ હતી. ત્યારે મેં ખોટી માહિતી આપી હતી જેમાં સત્ય નથી. વિરાટ આ સમયે ક્યાં છે તે કોઈને ખબર નથી. મને આશા છે કે વિરાટ શાનદાર રીતે મેદાન પર પાછો ફરશે.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી 3 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. અમે કોહલી પાસેથી બાકીની ટેસ્ટ મેચોમાં રમવાની આશા રાખી શકીએ છીએ. જો કે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, વિરાટ આખી સિરીઝ રમી શકશે નહીં. આમાં કેટલું સત્ય છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. વિરાટ છેલ્લીવાર આ વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે ટી-20 સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here