આજે 2022નું પહેલું પુષ્ય નક્ષત્ર:આ વર્ષે 17 દિવસ પુષ્ય નક્ષત્ર રહેશે

0
707
આ નક્ષત્રનું મહત્ત્વ રવિવાર અને ગુરુવારના દિવસે હોય છે. પુષ્ય નક્ષત્ર ઉપર શનિ, ગુરુ અને ચંદ્રના પ્રભાવ રહેવાથી તે ખરીદી અને નવા કામની શરૂઆત માટે ખૂબ જ મંગળકારી માનવામાં આવે છે
આ નક્ષત્રનું મહત્ત્વ રવિવાર અને ગુરુવારના દિવસે હોય છે. પુષ્ય નક્ષત્ર ઉપર શનિ, ગુરુ અને ચંદ્રના પ્રભાવ રહેવાથી તે ખરીદી અને નવા કામની શરૂઆત માટે ખૂબ જ મંગળકારી માનવામાં આવે છે

આજે વર્ષનું પહેલું પુષ્ય નક્ષત્ર હોવાથી મંગળ પુષ્યનો સંયોગ બની રહ્યો છો. વાર અને નક્ષત્રના આ સંયોગથી વર્ધમાન નામનો શુભ યોગ પણ રહેશે. પુષ્ય નક્ષત્ર મહિનામાં એકવાર આવે છે. આ પ્રકારે વર્ષમાં 12 દિવસ પુષ્ય નક્ષત્ર રહે છે, પરંતુ આ વખતે વર્ષમાં 17 દિવસ પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવાથી સમૃદ્ધિનો સંકેત છે. એમાં 4 એવા સંયોગ રહેશે, જેમાં બે દિવસ આ નક્ષત્ર રહેપુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે પુષ્ય નક્ષત્ર શુભ કામ અને ખરીદી માટે શ્રેષ્ઠ હોય છે. એના સંયોગનો દિવસ સમૃદ્ધિનો હોય છે. જ્યોતિષમાં આ નક્ષત્રને અમરતા અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે. 2022માં બે દિવસ રવિ અને બે દિવસ ગુરુ પુષ્ય નક્ષત્ર રહેશેપુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતી ખરીદી અને વેચાણ મંગળકારી હોય છે. આ જ કારણ છે કે અનેક લોકો આ દિવસે ખરીદી કરે છે. આ વર્ષ પહેલાં પુષ્ય નક્ષત્ર યોગની શરૂઆત 18 જાન્યુઆરી એટલે આજથી થઈ રહી છે. મંગળવાર હોવાથી એને ભોમ પુષ્ય માનવામાં આવે છે. 27 નક્ષત્રોમાં પુષ્યને સર્વાધિક શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રને તિષ્ય અને અમરેજ્ય પણ કહેવામાં આવે છે. આ 27માં આઠમનો નક્ષત્ર પુષ્ય હોય છે. આ નક્ષત્રનું મહત્ત્વ રવિવાર અને ગુરુવારના દિવસે હોય છે. પુષ્ય નક્ષત્ર ઉપર શનિ, ગુરુ અને ચંદ્રના પ્રભાવ રહેવાથી તે ખરીદી અને નવા કામની શરૂઆત માટે ખૂબ જ મંગળકારી માનવામાં આવે છેપુષ્યને નક્ષત્રોનો રાજ કહેવામાં આવે છે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ હોય છે, પરંતુ દેવ ગુરુ બૃહસ્પતિને આ નક્ષત્રના અધિષ્ઠાતા દેવ માનવામાં આવે છે, જ્યારે ચંદ્ર પોતાની રાશિ એટલે કર્કમાં આવે છે, ત્યારે કર્ક રાશિમાં 3 અંશ 40 કળાથી 16 અંશ 40 કળા સુધી પુષ્ય નક્ષત્ર હોય છે. આ નક્ષત્રને પોષણ કરનાર માનવામાં આવે છે. શનિના કારણે આ નક્ષત્રમાં કરવામાં આવેલ કામ લાંબા સમય સુધી ફાયદો આપનાર હોય છે અને બૃહસ્પતિના પ્રભાવથી તે શુભદાયી અને સમૃદ્ધિ આપનાર હોય છે. આ નક્ષત્રમાં ખરીદી, નવા કામની શરૂઆત અને ઔષધી ગ્રહણ કરવી શુભ હોય છે.જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વર્ષે શનિ અને ગુરુ પોતાની જ રાશિમાં રહેશે. આ કારણે શનિથી શશ અને બૃહસ્પતિથી હંસ નામનો મહાપુરૂષ બનશે. આ શુભ યોગ ધનધાન્ય અને ઐશ્વર્ય વધારનાર રહેશે. આ વર્ષે શનિ પહેલાં મકર અને પછી કુંભમાં રહેશે. શનિની પોતાની જ રાશિમાં હોવાથી તેની અસર વધી જશે.બૃહસ્પતિ ગ્રહ એપ્રિલમાં શનિની રાશિ કુંભમાંથી પોતાની જ રાશિ મીનમાં આવી જશે. મીન રાશિમાં ગુરુના આવવાથી તેનો શુભ પ્રભાવ વધશે. જેથી પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતા કાર્યોમાં સફળતા અને સમૃદ્ધિ વધી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here