યાત્રાથી 5 દિવસ માટે બ્રેક લઈને રાહુલ ગાંધી દિલ્હી બાદ વિદેશમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી જવાના છે

0
85
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલના સમયે ઉત્તરપ્રદેશમાં ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લઈ રહ્યા છે.
અચાનક ભારત જોડો ન્યાય યાત્રા છોડી રાહુલ ગાંધી કેમ જઇ રહ્યાં છે વિદેશ

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલના સમયે ઉત્તરપ્રદેશમાં ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લઈ રહ્યા છે. જોકે તે 26 ફેબ્રુઆરીએ અચાનક આ યાત્રાને પડતી મૂકીને વિદેશ જવા રવાના થશે. ત્યારબાદ 5 દિવસ પછી ફરી આ યાત્રા શરૂ થશે. તેમણે આ નિર્ણય કેમ લીધો છે તેનું કારણ પણ હવે સામે આવ્યું છે.કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે રાહુલ ગાંધી આગામી 26 ફેબ્રુઆરી બાદ 1 માર્ચ સુધી ભારત જોડો ન્યાય યાત્રાથી બ્રેક લેશે કેમ કે દિલ્હીમાં લોકસભા ચૂંટણીને લઈને અનેક મહત્ત્વપૂર્ણ બેઠકો યોજાવા જઇ રહી છે. આ બેઠકમાં તેમની હાજરી ખૂબ જ જરૂરી છે. ઉપરાંત રાહુલ 27-28 ફેબ્રુઆરીએ કેમ્બ્રિજ યુનિવર્સિટી જશે જ્યાં બે લેક્ચર આપશે.જયરામ રમેશે કહ્યું કે અમે 2 માર્ચથી ફરી યાત્રા શરૂ કરીશું. રાહુલ ગાંધી 5 માર્ચે ઉજ્જૈન જશે અને ત્યાં મહાકાલેશ્વર મંદિરે ભગવાન મહાકાલના દર્શન કરશે. જયરામ રમેશે આ દરમિયાન પીએમ મોદી સામે નિશાન તાકતાં કહ્યું કે પીએમ મોદી અમૃતકાળના નામે દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમનું 10 વર્ષનું શાસન અન્યાય કાળનું શાસન હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here