400 લોકોની મર્યાદા સાથે ગરબા રમી શકાશે; ગણેશજીના વિસર્જનમાં 15 લોકોની મર્યાદા

0
121
હવે રહેણાક વિસ્તારોમાં થતા શેરી ગરબા ઉપરાંત કોમર્શિયલ ગરબા આયોજનને પણ પરવાનગી મળી શકશે. આ ઉપરાંત જ્યાં માતાજીનાં જાગરણ, પૂજા-આરતી-દર્શન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ છે એ પણ થઇ શકશે. સાર્વજનિક ગણેશોત્સવ નિર્વિઘ્ને યોજી શકાશે.
હવે રહેણાક વિસ્તારોમાં થતા શેરી ગરબા ઉપરાંત કોમર્શિયલ ગરબા આયોજનને પણ પરવાનગી મળી શકશે. આ ઉપરાંત જ્યાં માતાજીનાં જાગરણ, પૂજા-આરતી-દર્શન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ છે એ પણ થઇ શકશે. સાર્વજનિક ગણેશોત્સવ નિર્વિઘ્ને યોજી શકાશે.

ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય, માત્ર દર્શન કરી શકાશે

અમદાવાદ : ગુજરાતમાં ગયા વર્ષે કોરોનાને કારણે ગરબાનું આયોજન થઇ શક્યું ન હતું, પરંતુ આ વર્ષે સરકારે નવરાત્રિ દરમિયાન રાસ-ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપવા માટેની તૈયારી કરી દીધી છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે ગાયક કલાકારોનું વૃંદ, બેન્ડવાજાં અને ડીજેના કલાકારો જાહેર કાર્યક્રમો યોજી શકશે એવી છૂટ આપતો નિર્ણય કર્યો છે.

આ કાર્યક્રમો 400 વ્યક્તિની હાજરીમાં યોજી શકાશે, એટલે કે આગામી સમયમાં આવી રહેલા ગણેશોત્સવ અને નવરાત્રિના કાર્યક્રમો યોજવા માટે સરકારે મંજૂરી આપી છે. આ અંગે ગૃહ વિભાગે એક પરિપત્ર પણ બહાર પાડી દીધો છે, જેમાં ખુલ્લામાં યોજાતા કાર્યક્રમોમાં 400 લોકો તથા બંધ હોલમાં યોજાતા કાર્યક્રમમાં ક્ષમતાના પચાસ ટકા અને મહત્તમ 400 વ્યક્તિની હાજરીમાં આ કાર્યક્રમો યોજી શકાશે.રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મંજૂરીને કારણે આપોઆપ જ ગણેશોત્સવ તથા નવરાત્રિના કાર્યક્રમોને પરવાનગી મળી ગઇ ગણાશે, એટલે કે હવે રહેણાક વિસ્તારોમાં થતા શેરી ગરબા ઉપરાંત કોમર્શિયલ ગરબા આયોજનને પણ પરવાનગી મળી શકશે. આ ઉપરાંત જ્યાં માતાજીનાં જાગરણ, પૂજા-આરતી-દર્શન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ છે એ પણ થઇ શકશે. સાર્વજનિક ગણેશોત્સવ નિર્વિઘ્ને યોજી શકાશે. આ અગાઉ રાજ્ય સરકારે ગણેશોત્સવ સંદર્ભે બહાર પાડેલી ગાઇડલાઇન્સમાં દર્શન, પૂજન, આરતી અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજવાની જ મંજૂરી આપી હતી, પરંતુ હવે આ નવી માર્ગદર્શિકા અનુસાર ગણેશોત્સવના કાર્યક્રમો યોજાતા હોય ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મંજૂરીને કારણે આપોઆપ જ ગણેશોત્સવ તથા નવરાત્રિના કાર્યક્રમોને પરવાનગી મળી ગઇ ગણાશે, એટલે કે

આ અગાઉ રાજ્ય સરકારે ગણેશોત્સવ સંદર્ભે બહાર પાડેલી ગાઇડલાઇન્સમાં દર્શન, પૂજન, આરતી અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજવાની જ મંજૂરી આપી હતી, પરંતુ હવે આ નવી માર્ગદર્શિકા અનુસાર ગણેશોત્સવના કાર્યક્રમો યોજાતા હોય ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.ગુજરાત સરકારે ધો.6થી ઉપરના વર્ગોમાં ઓફલાઇન અધ્યાપન કાર્ય શરૂ કરવા આદેશ આપ્યો છે. ધો.1થી 5ના વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે સરકારનું હાલ કોઇ આયોજન નથી. સરકાર ડિસેમ્બર સુધી રાહ જોશે. નવેમ્બરના આખરી સપ્તાહ સુધી જો કેસ નિયંત્રણમાં રહ્યા તો ડિસેમ્બરથી આ વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થઇ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here