નવા સંસદ ભવનની આજુબાજુ સુરક્ષામાં વધારો

0
115
સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે
70થી વધુ પોલીસ જવાનોનો ખડકલો સર્જી દેવાયો
નવી દિલ્હી : નવા સંસદ ભવનનું 28મેના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન થવા જઈ રહ્યું છે. આ મામલે પહેલાથી જ રાજકારણ ગરમાયું છે ત્યારે આ દરમિયાન એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર દિલ્હી પોલીસને ઈનપુટ મળ્યું છે કે નવા સંસદ ભવનની બહાર દીવાલો પર સરકાર વિરોધી અને પીએમ વિરોધી સૂત્રો લખવામાં આવી શકે છે. જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે નવા સંસદ ભવનની આજુબાજુ દિલ્હી પોલીસના સ્ટાફમાં વધારો કરી દેવાયો છે. આશરે 70થી વધુ પોલીસ જવાનોનો ખડકલો સર્જી દેવાયો છે. સાથે જ એસીપી રેન્કના અધિકારીઓ મોનિટરિંગ કરી રહ્યા છે. સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here