PM ટ્રૂડોની ભૂલના કારણે હિન્દુઓ પર વધ્યો ખતરો,આતંકી સંગઠને આપી તાત્કાલિક કેનેડા છોડવાની ધમકી

0
172
જસ્ટિસ ટુડોએ આરોપ લગાવ્યો હતો કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી છે
ભારતે વળતો જવાબ વળતો જવાબ આપીને નિવેદનોને વાહિયાત ગણાવ્યા હતા

નવી દિલ્હી : ભારત અને કેનેડા વચ્ચે હરદિપસિંહ નિજ્જરની હત્યાને લઈને સંબંધોમાં કડવાશ ઊભી થઈ છે ત્યારે હવે PM ટ્રૂડોની ભૂલના કારણે હિન્દુઓ પર ખતરો વધ્યો છે જેમાં આતંકી સંગઠને ભારતીયોને તાત્કાલિક કેનેડા છોડવાની ધમકી આપી છે. ભારત અને કેનેડા વચ્ચે હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને વિવાદ સતત વધી રહ્યો છે ત્યારે ખાલિસ્તાન સંગઠન શીખ ફોર જસ્ટિસે ભારતીય મૂળના હિંદુઓને તાત્કાલિક કેનેડા છોડવા કહ્યું છે. તેમણે ભારતે સમર્થન આપવા તેમજ નિજ્જરની હત્યાની ઉજવણી કરવા બદલ ભારતીયોને ધમકી આપી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વર્ષ 2019થી ખાલિસ્તાન સમર્થક શીખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.ભારતમાં આતંકવાદી જાહેર કરાયેલા ગુરપતવંત પન્નુએ વીડિયો જાહેર કરીને ધમકી આપતા કહ્યું હતું કે ઈન્ડો-હિન્દુઓ કેનેડા છોડો, ભારત જતા રહો. તેમણે વધુમાં કહ્યું હતું કે જે લોકો ફક્ત ભારતને સમર્થન જ નહીં પરંતુ ખાલિસ્તાન તરફી શીખોના ભાષણ અને અભિવ્યક્તિના દમનને પણ સમર્થન આપી રહ્યા છે તેઓએ તાત્કાલિક ધોરણે કોનેડા છોડી દેવું જોઈએ. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટુડો અને ભારત સરકાર વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. આ પહેલા ટુડોએ આરોપ લગાવ્યો હતો કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી છે આ પછી ભારતે પર વળતો જવાબ આપ્યો અને તમામ નિવેદનોને વાહિયાત ગણાવ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ કેનેડામાં રહેતા હિન્દુ સંગઠનના પ્રવક્તા વિજય જૈનનું કહેવું છે કે કેનેડામાં પણ ધીમે-ધીમે હિન્દુ ફોબિયા વધી રહ્યો છે. આ સતત જોવા મળી રહ્યું છે તેમણે વધુમાં કહ્યું હતું કે જો આમને આમ ચાલશે તો વર્ષ 1985 જેવી સ્થિતિ સર્જાઈ શકે છે જ્યારે કેનેડામાં ડરનો માહોલ બની ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here