આવારા પાગલ દિવાનામાં પણ મુન્નાભાઈ અને સર્કિટની જોડી

0
46
ન્નાભાઈ સીરીઝની ફિલ્મોમાં ધૂમ મચાવનારી મુન્નાભાઈ અને સર્કિટની જોડી એટલે કે સંજય દત્ત અને અરશદ વરસી હવે ‘આવારા પાગલ દિવાના’ની સિક્વલમાં પણ દેખાશે. 
ફિલ્મમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવળ, જોની લીવર, સંજય દત્ત,અર્શદ વારસી તેમજ અન્ય કલાકારો છે. 
હજુ પણ વધુ કેટલાક મોટા કલાકારો સાથે વાત ચાલી રહી છે. એકંદરે આ ફિલ્મને મલ્ટીસ્ટાર કોમેડી બનાવાશે.   ફિલ્મ હાલ પ્રી-પ્રોડકશન સ્ટેજમાં છે. જોકે, ફિલ્મ અંગે અગાઉ કાનૂની વિવાદ શરુ થઈ ગયો છે. મૂળ ફિલ્મના સહ નિર્માતા ઈરોઝ ઈન્ટરનેશનલ દ્વારા નોટિસ અપાઈ છે કે આ ફિલ્મના કાનૂની હક્કો તેની પાસે છે એન તેનો બીજા ભાગ બનાવવા માટેના હક્કો પોતાની પાસેથી વેચાતા લેવા પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here