નોકરીના બદલે જમીન કૌભાંડ શું છે? 2004થી 2009 દરમિયાન લાલૂ પ્રસાદ યાદવ યૂપીએ સરકારમાં રેલ મંત્રી હતા. આરોપ છે કે લાલૂના રેલ મંત્રી રહેતા રેલવે ભરતીમાં કૌભાંડ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે નોકરી આપવાના બદલે આવેદકો પાસેથી જમીન અને પ્લોટ લેવામાં આવ્યાં હતાં.
CBIએ આ મુદ્દે તપાસ પછી લાલૂ પ્રસાદ યાદવ અને તેમની દીકરી મીસા ભારતી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપ છે કે જે જમીન લેવામાં આવી તે રાબડી દેવી અને મીસા ભારતીના નામે લીધી હતી.