ઉપેન્દ્ર કુશવાહાની સુરક્ષા વધારીને વાય પ્લસ કેટેગરીની કરી દેવાઈ
2024ની લોકસભા ચૂંટણી પહેલા તેમની પાર્ટી એનડીએમાં જોડાય તેવી ચર્ચા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આદેશ જારી કર્યો
અહેવાલો અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મામલે આદેશ પણ જારી કરી દીધા છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીથી પહેલા ઉપેન્દ્ર કુશવાહાની સિક્યોરિટી વધારવાના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. ગત દિવસોમાં તેમણે નીતીશ કુમાર સાથે બળવા બાદ જેડીયુ સાથે છેડો ફાડ્યો હતો. જેડીયુ છોડતા જ કુશવાહાએ રાલોજદના નામે નવી પાર્ટી બનાવી હતી. હવે તે એનડીએમાં જોડાઇ શકે છે.
ઉપેન્દ્ર કુશવાહા સાથે 3 અલગ અલગ શિફ્ટમાં સીઆરપીએફના 11 કમાન્ડો તહેનાત રહેશે
હવે વાય પ્લસ કેટેગરીની સુરક્ષા હેઠળ ઉપેન્દ્ર કુશવાહા સાથે 3 અલગ અલગ શિફ્ટમાં સીઆરપીએફના 11 કમાન્ડો તહેનાત રહેશે. એ તમામ વિશેષ આધુનિક હથિયારોથી લેસ રહેશે. તેમાં બે પીએસઓ પણ સામેલ છે. ઉપેન્દ્ર કુશાવાહા હાલ બિહારમાં વારસો બચાવો યાત્રા યોજી રહ્યા છે. તે જુદા જુદા વિસ્તારોમાં જઈને નીતીશ સરકાર વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે અને તેમની નવી પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એવા ઈનપુટ મળ્યા છે કે યાત્રા દરમિયાન કુશવાહાની સુરક્ષાને ખતરો છે. આ જ કારણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા વધારી વાય પ્લસ કેટેગરીની સિક્યોરિટી આપી દીધી છે.