યુક્રેન સરકારના મંત્રી ભારતના પ્રવાસે આવશે, રશિયા સામેના યૂદ્ધમાં ભારત પાસે માંગી શકે છે સમર્થન

0
32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કીવ આવવા માટે આમંત્રણ પણ આપી શકે છે

ઝાપારોવા આગામી અઠવાડીયામાં ભારત આવવાની સંભાવના છે

રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પહેલી વાર યુક્રેન સરકારના મંત્રી ભારતના પ્રવાસે આવી રહ્યા છે. રશિયા સામે ચાલી રહેલા યૂદ્ધમાં ભારત પાસે સમર્થન માંગી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મંત્રી એમિન ઝાપારોવા આગામી અઠવાડીયામાં ભારત આવવાની સંભાવના છે. એવી અટકળો ચાલી રહી છે કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કીવ આવવા માટે આમંત્રણ પણ આપી શકે છે. રશિયાએ ગત વર્ષની ફેબ્રુઆરીમાં યૂક્રેનની સેના પર કાર્યવાહી શરુ કરી હતી.
એક મીડિયા રિપોર્ટના અનુસાર ઝાપારોવા ભારતીય અધિકારીઓ સાથે મુલાકાત કરશે અને યુદ્ધને લઈને એક પ્રવચનમાં પણ હાજરી આપશે. ભારતમાં આગામી સપ્ટેમ્બરમાં યોજાનારી જી20 શિખર સમ્મેલનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ઉપસ્થિતિ અંગેની પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી શકે છે. જો કે હજુ સુધી ભારતે ઝેલેન્સ્કીને શિખર સમ્મેલનનું આમંત્રણ આપ્યુ નથી. આ દરમિયાન તે યુદ્ધથી થઈ રહેલા પ્રભાવને લઈને ચર્ચા કરશે તેમજ ભારત પાસે સમર્થન માંગશે.
યૂક્રેને ભારત સાથે ચર્ચા ચાલુ રાખી છે. રશિયા સાથે યુદ્ધ શરુ થયા બાદ ઝેલેન્સ્કી ઘણીવાર પીએમ મોદી સાથે વાત કરી ચુક્યા છે. બીજી તરફ મંત્રી એસ જયશંકર પણ પોતાના સમક્ષક કુલેબા સાથે વાતચીત કરી ચુક્યા છે. આ ઉપરાંત યૂક્રેન માનવીય સહાયતાને લઈને ભારતનો આભાર માની ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here