Salangpur Holi Celebration: સાળંગપુરમાં સંતો અને ભક્તો દાદાના રંગે રંગાયા, 50 હજારથી વધુ લોકો ઉમટ્યા

0
92
સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં અત્યારે ભવ્ય રંગોત્સવ ઉજવાઈ રહ્યો છે. દાદાને 25 હજાર કિલો રંગ ધરાવીને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા સંતો પર છંટકાવ કરવામાં આવ્યો હતો. આ રંગોત્સવમાં 50 હજારથી વધુ ભક્તો દાદાના રંગે રંગાયા હતાં.મહત્ત્વનું છે કે, સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા 25 હજાર કિલો ઓર્ગેનિક રંગ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે. આ રંગોત્સવમાં રંગના 250 બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભક્તિ ગીતો પર લોકો ઝૂમી ઉઠ્યા છે.60 ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here