ગુજરાતના 5 એવા અતિ સમૃદ્ધ ગામડાં…જેની પ્રગતિ જોઈને શહેરીજનો મોઢામાં આંગળા નાખી જાય

0
75
Gujarat Model Villages: ગુજરાતના 5 એવા અતિ સમૃદ્ધ ગામડાં...જેની પ્રગતિ જોઈને શહેરીજનો મોઢામાં આંગળા નાખી જાય
સાંભળવામાં ભલે તમને અજીબ લાગે પરંતુ ગુજરાતના કેટલાક ગામડા એવા છે જે સુવિધાઓ અને પોતાના અનોખાપણાના કારણે શહેરોને પણ પાછળ મૂકી રહ્યા છે. આ ગામડાઓ વિશે જાણીને શહેરમાં રહેતા લોકોને પણ ઈર્ષા ઉપજે તેવું છે. તેઓ પણ પોતાના ભાગ્ય પર ઈર્ષા કરશે. આવો જાણીએ આવા જ કેટલાક ગુજરાતના ગામડાઓ વિશે….ગુજરાતના મહેસાણાનું મોઢેરા આવું જ એક ગામ છે જે દેશનું પહેલું સૌરઉર્જાવાળું ગામ છે. 
કુનારિયા ગામ
બે દાયકા પહેલા આમિર ખાનની ફિલ્મ લગાનથી દેશભરમાં ચર્ચામાં આવેલા કુનારિયા ગામને લગાન ગામ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 4000 ની વસ્તીવાળા ગામે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ગ્રીન ગોલ મેળવ્યા છે. ગામમાં છેલ્લા પાંચ વર્ષોમાં 1.6 લાખ છોડ વાવવામાં આવ્યા છે. આ વર્ષે પણ 40 હજાર છોડ લગાવવામાં આવશે. આ સિવાય ગામમાં 3 ગીગાવોટનો સોલર પ્લાન્ટ લગાવવા માટે એક કંપની સાથે વાત ચાલુ છે. ગામના સરપંચ સુરેશ  છંગા  કહે છે કે કંપની સૈદ્ધાંતિક રીતે સહમત છે. તેને લગાવવામાં 4 કરોડ રૂપિયા ખર્ચ થશે. તેના લાગવાથી ગામને 7 લાખ રૂપિયા પ્રતિ મહિને વીજળીના બિલની બચત થશે. આ બધુ સરકારના સહયોગ વિના થશે. અમે જાણીએ છીએ કે કાર્બન ઉત્સર્જન આપણી જળવાયુને પ્રભાવિત કરી ર હ્યો છે. આથી આ નિર્ણય લેવાયો છે. ગામમાં પશુઓની પણ સારી એવી સંખ્યા છે. આથી પશુઓના ગોબરથી બાયોગેસ  બનાવીને તેને એલપીજીના સ્થાને ઉપયોગમાં લેવાશે. આ માટે ગામના 50 પરિવારોએ બાયોગેસ પ્લાન્ટની સાથે કરાર કરી લીધો છે. તેમાં 22 પરિવારે બાયોગેસનો ઉપયોગ શરૂ કર્યો છે. ગામમાં પર્યાવરણ સંરક્ષણ માટે અનેક પ્રયોગો ચાલુ છે. આવા જ એક પ્રયોગમાં ગામના 50 ખેડૂતોએ રેન વોટર હાર્વેસ્ટિંગથી સારા પરિણામ મેળવ્યા છે. તેનાથી જળસ્તર ઊંચુ આવ્યુ છે, ભૂગર્ભ જળમાં ટીડીસી (ટોટલ  ડિઝોલ્વ સોલિડ)ની સંખ્યા અડધાથી પણ ઓછી રહી ગઈ છે. 

ધર્મજ
આણંદ જિલ્લાના પેટલાદ તહસીલ હેઠળ આવતા આ ગામે એક નવી જ ઓળખ ઊભી કરી છે. NRI વિલેજ તરીકે ઓળખાય છે. કારણ કે ગામમાંથી અનેક દાયકાઓ પહેલા ઘણા લોકો વિદેશ જતા રહ્યા અને ગામનું નામ જ પછી તો એનઆરઆઈ વિલેજ પડી ગયું. આ ગામમાં 18થી વધુ  બેંક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ અદભૂત છે. હવે આ ગામ પોતાની 1971માં એક ચરાગાહ-સુધાર પરિયોજના લાગૂ કરવા બદલ ચર્ચામાં છે. આ યોજના હેઠળ રાહત દરે ઉજ્જડ જમીન પર ચારો ઉગાડવાની જોગવાઈ હતી. ધર્મજના ગોચર સુધાર મોડલથી પ્રભાવિત થઈને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા કાર્યકાળમાં અન્ય ગામડાઓને પણ તેનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 

પુંસારી
અમદાવાદથી 100 કિલોમીટર દૂર સાબરકાંઠા જિલ્લામાં સ્થિત આ ગામે ગુજરાતનો પહેલો આદર્શ ગ્રામ પુરસ્કાર જીત્યો હતો. ગામે આ માટે ઘણું કર્યું છે. ગામનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર શહેરો જેવું છે. એરકંડિશન શાળાથી લઈને ગામમાં બાયોમેટ્રિક હાજરી લાગે છે. એટલું જ નહીં ગામમાં બાયોગેસ પ્લાન્ટ ઉપરાંત સીસીટીવીની સુરક્ષા છે અને હાઈટેક આંગનવાડી કેન્દ્ર છે. ગામમાં ટીડીએસની માત્રા વધુ હતી. આથી ગામમાં રિવર્સ ઓસ્મોસિસ (આરઓ) પ્લાન્ટ છે. જેનાથી રહીશોને 20 લીટર પાણી 4 રૂપિયામાં મળે છે. બીજા ગામડાઓને આ પાણી 20 રૂપિયામાં વેચવામાં આવે છે. આ પ્લાન્ટથી વાર્ષિક 1.5 લાખ રૂપિયાની કમાણી થાય છે. આરઓના બેકાર પાણીને ભેગુ કરીને તેને વાહનોને ધોવામાં ઉપયોગમાં લેવાય છે. આ  ગામની કુલ વસ્તી 5000 છે. ગામના નાળા અને રસ્તાઓની સફાઈ માટે વિશેષ મશીનો છે. ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનો જીપીએસથી મેપ્ડ છે. એનબીટીના અહેવાલ મુજબ ગામના વિકાસનો શ્રેય હિમાંશુ પટેલને જાય છે. તેઓ કહે છે કે ગામનો વિકાસ પીપલ પંચાયત પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ પર આધારિત છે. 

અફવા
સુરતના આ ગામની ઝાકમઝોળ શહેરથી પણ વધુ છે. ગામમાં વીજળીના ક્યાંય લટકતા તાર નથી. પાણીની પાઈપલાઈન, ટેલિફોન લાઈન, ઈન્ટરનેટ કેબલ સહિત તમામ સુવિધાઓ અંડરગ્રાઉન્ડ છે. ગામની કુલ વસ્તી 2500 છે. ગામમાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને તેના વિતરણની સારી વ્યવસ્થા છે. ગામનો આ કાયાકલ્પ અહીંથી અમેરિકા જઈને વસેલા લોકોને કારણે થયો છે. આ ગામના દરેક ધરમાંથી એક એક સભ્ય અમેરિકામાં છે. આ ગામની એક વધુ ઓળખ છે કે જો તમે રોડ દ્વારા પસાર થઈ રહ્યા હોવ તો આખો દિવસ તમને ભક્તિ સંગીત સાંભળવા મળશે. આ ઉપરાંત ગામના તમામ  ડ્રેનેજ અંડરગ્રાઉન્ડ છે. સ્વચ્છતામાં પણ આ ગામ શહેરોને પાછળ છોડે છે.

ભીમાસર
કચ્છ જિલ્લાનું ભીમાસર ગામ 2001ના વિનાશકારી  ભૂકંપમાં કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. બે દાયકા બાદ આ ગામ આત્મનિર્ભરતાનું અનોખુ ઉદાહરણ  બનીને સામે આવ્યું છે. અંજાર કસ્બાથી 18 કિમી દૂર આવેલા આ ગામમાં શહેર જેવી અનેક સુવિધાઓ છે. ગામનો દરેક રસ્તો હરિયાળીથી ભરેલો છે. આ ગામમાં પ્રવેશ કરવાથી તમને જરાય એવું નહીં લાગે આ કોઈ ગામ છે. આઠ હજારની વસ્તીવાળું આ ગામ ભરાવદાર વૃક્ષોથી  છવાયેલું છે. ગામમાં છ જેટલા સામુદાયિક કેન્દ્રો છે અને આખા ગામની સુરક્ષા માટે 60 સીસીટવી કેમેરાનું નેટવર્ક છે. જેનો કંટ્રોલ સેન્ટર ગામની પંચાયત ઓફિસમાં છે. જે નિગરાણી  કેન્દ્ર તરીકે કામ કરે છે. ગામમાં સીવેજ લાઈન બિછાવવામાં આવી છે જે સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટથી કનેક્ટેડ છે. આ ગામની મોટી સિદ્ધિ એ છે કે ગામ પાણીને ટ્રિટમેન્ટ કરીને વેચે છે. દર વર્ષે દોઢ  લાખ જેટલી કમાણી પણ કરે છે. 

જેઠીપુરા
સરકારી આંકડાઓમાં રાજ્યમાં લગભગ 40 ટકા બાળકો પોતાની ઉંમર પ્રમાણે ઓછા વજનના છે. એટલે કે કુપોષણથી પીડાય છે પરંતુ સાંબરકાંઠાનું આ જેઠીપુરા ગામ એવું છે જેમાં કોઈ બાળક કુપોષિત નથી. આંગનવાડી કાર્યકરો એ સુનિશ્ચિત કરે છે કે ગર્ભવતી મહિલાઓને પૌષ્ટિક ભોજન મળે. આ માટે તેમનો મોટા અનાજ મિલેટ પર આધારિત ખોરાક અપાય છે. આ ઉપરાંત લીલા શાકભાજીઓ, સુખડી અને દૂધની વ્યવસ્થા કરાય છે. આ ઉપરાંત આ ગામમાં 100 ટકા પાણીની આપૂર્તિ મીટરથી થાય છે. અત્યાર સુધીમાં આ લક્ષ્યાંક અમદાવાદે મેળવ્યો હતો. પરંતુ જેઠીપુરા ગામે પણ હવે આ ઉપલબ્ધિ મેળવી છે. પાણી ચોવીસ કલાક ઉપલબ્ધ રહે છે. ગામના લોકો 1000 લીટર માટે 1.5 રૂપિયાની ચૂકવણી કરે છે. ગામમાં એક આધુનિક જળ નિકાસ માટે વ્યવસ્થા  અને વીજળીની આપૂર્તિની પણ વ્યવસ્થા છે. વર્ષ 2021માં જેઠીપુરા એવા 10 ગામમાં સામેલ હતું જેણે ગુજરાતને સ્વત્ અને હરિયાળી શાળાઓ માટે રાષ્ટ્રીય પુરસ્કાર અપાવ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here