રાજપથ ક્લબ ખાતે આયોજિત રાષ્ટ્રિય હાસ્ય કવિ સંમેલનમાં રાજયપાલશ્રી ઓ.પી. કોહલીની વિશેષ ઉપસ્થિતિ
રાજપથ ક્લબ ખાતે આયોજિત ૧૧માં રાષ્ટ્રિય હાસ્ય કવિ સંમેલનને રાજયપાલ શ્રી ઓ.પી. કોહલીએ દિપ પ્રાગટય કરી ખુલ્લું મુક્યું હતું. આ પ્રસંગે દેશના વિવિધ રાજયોમાંથી ઉપસ્થિત થયેલાં હાસ્ય કવિઓએ મંચ પરથી રજૂ કરેલી છંદ અને તાલબદ્ધ હાસ્ય અને વ્યંગની કવિતાઓને રાજયપાલશ્રીએ માણી હતી.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી બિજલબેન પટેલ, એ.એમ.સી.ના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી અમૂલ ભટ્ટ તેમજ શહેરના અગર્ણીઓ અને રસિકજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.