નવી દિલ્હી:ભારતમાં ક્રિકેટનો ક્રેઝ એટલો છે કે સ્ટેડિયમ હોય કે ટીવી… મેચ જોનાર દરેક વ્યક્તિ પોતાની એક્સ્પર્ટ કોમેન્ટ આપતા રહે છે. એવામાં એ લોકોની જવાબદારી અંદાજ લગાવી શકાય છે, જેમણે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરી છે. ટીમની પસંદગીની જવાબદારી BCCIની રાષ્ટ્રીય પસંદગી સમિતિ પર હતી અને તેની આગેવાની એમએસકે પ્રસાદ ઉપરાંત સમિતિમાં દેવાંગ ગાંધી, શરણદીપ સિંહ, જતિન પરાંજપે અને ગગન ખોડા સામેલ હતા.
રસપ્રદ વાત એ છે કે વન ડેની ક્રિકેટની સૌથી મહત્ત્વની ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરનારા આ પાંચેય પસંદગીકારને વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાનોનો વધારે અનુભવ નથી. એમએસકે પ્રસાદ એન્ડ કંપનીનો અનુભવ જોઇએ તો પાંચેયે કુલ મળીને ફક્ત ૩૧ વન ડે મેચ રમી છે અને તેમાંથી કોઇને પણ વર્લ્ડ કપ રમવાનો અનુભવ નથી.
૪૩ વર્ષનાં મન્નવા શ્રીકાંત પ્રસાદ પાસે ૬ ટેસ્ટ અને ૧૭ વન ડે રમવાનો અનુભવ છે. પ્રસાદે વન ડેમાં ૧૪.પપની સરેરાશથી ૧૩૧ રન બનાવ્યા છે અને તેમનો શ્રેષ્ઠ સ્કોર ૬૩ રન રહ્યો છે.
૪૭ વર્ષના દેવાંગ જયંત ગાંધીને ૪ ટેસ્ટ અને ૩ વન ડે રમવાનો અનુભવ છે. ૩ વન ડેમાં દેવાંગની એવરેજ ૧૬.૩૩ની રહી અને તેમણે ફક્ત ૪૯ રન બનાવ્યા છે. પંજાબ અમૃતસરમાં જન્મેલા શરણદીપ સિંહનું આંતરરાષ્ટ્રીય કેરિયર કંઇ ખાસ નથી. તેમને ૩ ટેસ્ટ અને પ વન ડે રમવાનો અનુભવ છે. શરણદીપે પ વન ડે મેચોમાં ૧પ.૬૬ની એવરેજથી ૪૭ રન બનાવ્યા છે.
મુંબઈનાં જતિન પરાંજપે ભારત માટે ફક્ત ૪ વન ડે મેચ જ રમી શક્યા. તેઓ ર૮ મે ૧૯૯૮ના ગ્વાલિયરમાં કેન્યા સામે પોતાની પહેલી મેચ રમ્યા હતા, પરંતુ ઇજાના કારણે પોતાની કરિયર લાંબી ખેંચી શક્યા નહીં. ગગન ખોડાએ ઘરેલુ ક્રિકેટમાં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કર્યું. ૧૯૯૧-૯રમાં પોતાની પહેલી જ રણજી મેચમાં સદી ફટકારીને ખોડા ચર્ચામાં આવ્યા હતા. પ્રથમ શ્રેણીમાં ૩૦૦ રનની ઇનિંગ રમનારા ખોડા આંતરરાષ્ટ્રીય કેરિયરમાં ફક્ત ર વન ડે રમ્યા છે. ખોડાએ પોતાની પહેલી મેચ ૧૪ મે ૧૯૯૩ના રોજ બાંગ્લાદેશ સામે રમી હતી.