રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનરોની દિવાળી સુધરશે: દિવાળી પહેલા જ મળશે પગાર

0
139
રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સુધરશે.
17, 18 અને19 ના રોજ કર્મચારીઓના ખાતામાં આવી જશે. આ નિર્ણયથી છ લાખ કર્મચારીઓ સાથે છ લાખ પેન્શનરોને પણ લાભ મળશે.

અમદાવાદ : રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સુધરશે. રાજ્ય સરકારનો કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઓક્ટોબર માસનો પગાર દિવાળી પહેલા થઈ જશે. દર મહિનાની તા. 1 ,2 તારીખે પગાર થતો હોય છે. જે હવે આ વખતે 17, 18 અને19 ના રોજ કર્મચારીઓના ખાતામાં આવી જશે. આ નિર્ણયથી છ લાખ કર્મચારીઓ સાથે છ લાખ પેન્શનરોને પણ લાભ મળશે. પગાર સિવાયના એલાઉન્સ પણ એડવાન્સમાં મળી જશે. રાજ્ય સરકારનાં આ નિર્ણયને લઇને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે સરકારે કર્મચારીઓની દિવાળી સુધારી દીધી હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી પહેલા જ કર્મચારીઓનો પગાર થશે એ નિર્ણય બાદ કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here