કોરોનાની દવા ખરીદવા ગુજરાત સરકારે 4 લાખ 85 હજાર મોલનુપિરાવીરનું ટેન્ડર બહાર પાડ્યું

0
235
જેમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાતી વિવિધ દવાઓ પણ સામેલ છAmoxycillin 250mg કેપ્સ્યૂલ બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં વપરાય છે,
જેમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાતી વિવિધ દવાઓ પણ સામેલ છAmoxycillin 250mg કેપ્સ્યૂલ બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં વપરાય છે,

ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે સરકારે પણ હવે દવાનો સ્ટોક કરવાની શરૂઆત કરી છે. રાજ્ય સરકારે 4 લાખ 85 હજાર મોલનુપિરાવીર અને 75000 ફેરિપીરાવીરનો ઓર્ડર આપ્યો છે. મોલનુપિરાવીરની 800 એમજીના ડોઝ પાંચ દિવસ સુધી બે વાર લેવાના હોય છે.આ દવા કોરોના સંક્રમણ વિરુદ્ધ 70-80 ટકા અસરકારક છે. જેનું ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી છે. જ્યારે 20 જાન્યુઆરીએ શરૂ થનારી GTUની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરંત કોરોના ની સ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 13 જાન્યુઆરીએ ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. કોરોનાને કંટ્રોલમાં લેવા માટે એકશન પ્લાન ઘડાશે.આ પહેલા ત્રીજી લહેર માટે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના એડમિશનથી માંડીને ઓપરેશન સુધીની દવાઓ, ઈન્જેક્શનો સહિત 64 પ્રકારની જુદી જુદી ડ્રગ્સની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાતી વિવિધ દવાઓ પણ સામેલ છAmoxycillin 250mg કેપ્સ્યૂલ બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં વપરાય છે, જેમ કે ગળા, કાન, નાકમાં ઈન્ફેક્શન, સ્કીન, ટાઈફોઈડનો તાવ વગેરેમાં અપાય છે. આવી 5, 05, 61000 કેપ્સ્યૂલ માટે ટેન્ડર મગાવવામાં આવ્યું છે.Carbamazepine Tablets 200mgનો ઉપયોગ શરીરમાં અચાનક આવતા હુમલાને રોકવા અને નિયંત્રણ કરવા માટે થાય છે. એનો ઉપયોગ અમુક પ્રકારના સ્નાયુના દુખાવા (જેમ કે ટ્રાઇજેમિનલ ન્યુરલજીયા)ને દૂર કરવા માટે પણ થાય છે. આ દવાની 1,81,92000 ટેબ્લેટ માટે ટેન્ડર મગાવાયા છે. Benzathine Penicillin ઇન્જેક્શનનો ઉપયોગ બેક્ટેરિયાને કારણે થતા ચોક્કસ ચેપની સારવાર અને અટકાવવા માટે થાય છે અને Azithromycin દવાનો ઉપયોગ ન્યુમોનિયા, નાક ગળામાં ઈન્ફેક્શન માટે થાય છે. આ ઈન્જેક્શન તથા દવાના 22,000 કિટ માટે ટેન્ડર મગાવાયાં છે.Nifedipine 10mg દવાનો ઉપયોગ હાઈ બ્લડપ્રેશરને ઓછું કરવા માટે થાય છે. આ દવાના 72,68,000 ટેબ્લેટ માટે ટેન્ડર મગાવાયાં છેBudenoside કેપ્સ્યૂલનો ઉપયોગ આંતરડાંના રોગની સારવાર માટે થાય છે, જેમાં શરીરના પાચનતંત્ર પર હુમલો થાય છે, જેનાથી પેટમાં પીડા, ઝાડા, વજનમાં ઘટાડો અને તાવ આવે છે. આ કેપ્સ્યૂલના 53,70,000નો ઓર્ડરનું ટેન્ડર મગાવાયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here