આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આજની પેઢીએ જમીનની ફળદ્રુપતા ટકાવવી ખૂબ જ જરૂરી

0
163

જો આપણે અત્યારે જાગૃત નહી બનીએ કે સંગઠિત નહીં બનીએ તો આપણી ભવિષ્યની પેઢી માટે કશું જ બચશે નહી. દુનિયામાં આજે 40% ફળોનું ઉત્પાદન ઘટ્યું છે સાથે સાથે જમીન પોતાની ફળદ્રુપતા દિવસેને દિવસે ગુમાવી રહી છે

Save soil અભિયાનના પ્રણેતા સદ્‌ગુરુ જગ્ગી વાસુદેવ રવિવારે પોતાનો 27 દેશો અને 30 હજાર કિ.મી.નો પ્રવાસ પૂર્ણ કરી જામનગરના બેડી બંદર ખાતે દરિયાઈ માર્ગે આવી પહોંચ્યા હતા. અહીં શહેરના નગરજનો તરફથી તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈક રેલી મારફતે પ્રતાપ વિલાસ પેલેસ આવી પહોંચેલા સદગુરુએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યુ હતુ કે, “દ્વિતીય વિશ્વ યુદ્ધ વખતે જામનગરના મહારાજાએ પોલેન્ડના પીડિત બાળકોને આશરો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે ધરા પર આવી આજે હું મને ભાગ્યશાળી માનું છું.”આ પ્રસંગે Save Soil એટલે કે ‘ભૂમિ બચાવો’ અભિયાન વિશે જણાવતા કહ્યુ કે, “તેમનું સૌપ્રથમ લક્ષ્ય દુનિયાના ચાર અબજ લોકો સુધી પહોંચી, આ અભિયાનમાં જોડવાનો છે. હવે સમય છે કે આપણે આવનારી નવી પેઢીના ઝળહળતા ભવિષ્ય માટે એકત્રિત બની આ દિશામાં આજથી જ કામ કરીએ. આજે દુનિયામાં 27,000 જેટલી પ્રજાતિઓ પર જોખમ ઊભું થયું છે અને તેઓ ધીમે ધીમે લુપ્ત થતાં જાય છે. આપણે તેમના માટે કશું કરતા નથી. દુનિયામાં જૈવ વૈવિધ્ય અને વાતાવરણમાં ગંભીર નુકસાન થયું છે. જો આપણે અત્યારે જાગૃત નહી બનીએ કે સંગઠિત નહીં બનીએ તો આપણી ભવિષ્યની પેઢી માટે કશું જ બચશે નહી. દુનિયામાં આજે 40% ફળોનું ઉત્પાદન ઘટ્યું છે સાથે સાથે જમીન પોતાની ફળદ્રુપતા દિવસેને દિવસે ગુમાવી રહી છે.”

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, “આવનારા સમયમાં પૃથ્વી પર વસ્તી હજુ પણ વધતી જ રહેવાની છે. આજથી જ જાગૃત બની આપણે સૌ જમીનની જાળવણી નહીં કરીએ તો આવનારી પેઢીએ એના ગંભીર પરિણામો ભોગવવાના રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here