આરોગ્ય સચિવે પત્ર લખીને જણાવ્યું
આરોગ્ય સચિવે નાગરિક ઉડ્ડયન સચિવને પત્ર લખીને જણાવ્યું કે, “કોવિડ અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો માટે હવે હવાઈ સુવિધા ઘોષણા જરૂરી નથી.” ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરમાં ભારતે ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ, જાપાનથી આવતા પ્રવાસીઓ માટે આરોગ્ય માર્ગદર્શિકામાં અપડેટ ફરજિયાત બનાવ્યું હતું.
રેન્ડમ ટેસ્ટિંગ ચાલુ રહેશે
જો કે, તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આગમન પર 2% રેન્ડમ પરીક્ષણ ચાલુ રહેશે. સરકારનું આ પગલું આ 6 એશિયાઈ દેશોમાં અને ત્યાંથી ફ્લાઈટ ચલાવતી એરલાઈન્સ માટે રાહતરૂપ બનશે જે ખાસ કરીને આ જરૂરિયાતોને કારણે પ્રભાવિત થયા હતા.