ઉદ્ધવ ઠાકરેએ તેમના જૂથના નેતાઓનું સ્વાગત કરવા માટે રત્નાગિરીના ખેડમાં એક રેલીને સંબોધી હતી
ભાજપ પર નામ ચોરી કરવાનો આરોપ મૂકતાં ઉદ્ધવે કહ્યું કે તેમણે સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને હવે બાલાસાહેબ ઠાકરેનું નામ ચોરી લીધું
ચૂંટણીપંચ સામે નિશાન તાક્યું
ઉદ્ધવ ઠાકરેએ તેમના જૂથના નેતાઓનું સ્વાગત કરવા માટે રત્નાગિરીના ખેડમાં એક રેલીને સંબોધી હતી. ગત વર્ષે રાજ્યમાં એક બળવાને લીધે તેમની સરકાર પડી ભાંગ્યા બાદ ચૂંટણીપંચની ટીકા કરતાં ઠાકરેએ કહ્યું હતું કે ચૂંટણીપંચનો આદેશ છતાં અમે ખુદને શિવસેના કહેતા રહીશું.
ભાજપ પર નામ ચોરી કરવાનો આક્ષેપ કર્યો
ભાજપ પર નામ ચોરી કરવાનો આરોપ મૂકતાં ઉદ્ધવે કહ્યું કે તેમણે સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને હવે બાલાસાહેબ ઠાકરેનું નામ ચોરી લીધું છે. સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે સરદાર પટેલનું નામ ચોરી લીધું. આ રીતે તેમણે સુભાષચંદ્ર બોઝ અને પછી બાલાસાહેબ ઠાકરે સાથે પણ આવું જ કર્યું. હું તેમને પડકારું છું કે તે મોદીના નામે વોટ માગે, ન કે શિવસેના કે બાલાસાહેબ ઠાકરેના નામે.
ચૂંટણીપંચની ઝાટકણી કાઢી
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ચૂંટણીપંચને તો મોતિયાબિંદ થઈ ગયો છે. તેણે સૌથી પહેલા તો ગ્રાઉન્ડ રિપોર્ટ પર નજર નાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે લોકોનો જનાદેશ નક્કી કરશે કે મારે ઘરે બેસવું જોઇએ તો હું એ જ કરીશ.