પાક.માં અત્યાચારના વિરોધમાં હિન્દુઓ રસ્તા પર ઉતર્યા

0
97
– મહિલાઓનું અપહરણ, ધર્માંતરણ વધ્યા 
– બહેન, દિકરીઓનું ધર્માંતરણ કરી મોટી વયના મુસ્લિમ સાથે નિકાહ કરાવાય : પ્રદર્શનકારીઓ  પાકિસ્તાનમાં હિન્દુઓનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધમાં હિન્દુઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. પાકિસ્તાનના કરાચી પ્રેસ ક્લબ અને સિંધ વિધાનસભા બહાર આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન પાકિસ્તાન દરવાર ઇત્તેહાદ (પીડીઆઇ) નામના હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. 
પ્રદર્શન કરી રહેલા સંગઠનના એક સભ્યએ મીડિયાને જણાવ્યું હતું કે સિંધી હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારોને લોકો સમક્ષ લાવવા જરૂરી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં યુવતીઓ પર અત્યાચાર વધી રહ્યો છે. કેટલીક ૧૨થી ૧૩ વર્ષની સગીરાનું દિવસે પણ અપહરણ કરીને  બળજબરીથી ઇસ્લામ કબુલવા માટે મજબુર કરવામાં આવે છે.  ઇસ્લામ કબુલાવ્યા બાદ મોટી વયના મુસ્લિમો સાથે નિકાહ કરાવી દેવામાં આવે છે.  ધરણા પ્રદર્શન અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે જ્યાં સુધી બહાર નથી નિકળતા અને ન્યાયની માગણી નથી કરતા ત્યાં સુધી આ સમગ્ર અપરાધ પર કોઇનું પણ ધ્યાન નથી જતું અને અમારા પર અત્યાચાર વધતા જાય છે. તાજેતરમાં સિંધ પ્રાંતની કોર્ટોમાં હિન્દુઓ દ્વારા થતી અરજીનું પ્રમાણ વધી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here