National મોદી સરકારમાં કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવાયા, અર્જુનરામ મેઘવાલ સંભાળશે જવાબદારી By The Venus Times - May 18, 2023 0 25 Share on Facebook Tweet on Twitter મોદી સરકારમાં મોટો ફેરબદલ મોદી સરકારમાં મોટા ફેરબદલના અહેવાલ આવ્યા છે. કાયદા મંત્રી પદેથી કિરેન રિજિજુને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અર્જુનરામ મેઘવાલને કાયદા મંત્રી જાહેર કરાયા છે. અહેવાલ અનુસાર કિરેન રિજિજુને બીજા કોઈ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી શકે છે. માહિતી અનુસાર તેમને અર્થ સાયન્સ મંત્રાલય સોંપવામાં આવ્યાનો નિર્ણય થયો છે. કિરેન રિજિજુ અરુણાચલ પ્રદેશના રહેવાસી છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ નિવૃત્ત ન્યાયાધીશો પર કરેલી ટિપ્પણીઓને કારણે ચર્ચામાં છે. કિરેન રિજિજુએ કોલેજિયમ સિસ્ટમ વિશે પણ કહ્યું હતું કે, દેશમાં કોઈ કોઈને ચેતવણી આપી શકે નહીં. દેશમાં દરેક વ્યક્તિ બંધારણ પ્રમાણે કામ કરે છે. આ સિવાય તેમણે કેટલાક આકરા પ્રહાર કર્યા હતા.