મુંબઈ: રાજ્યમાં કોરોનાનો આંકડો છેલ્લાં લાંબા સમયથી ૩૦૦૦ આસપાસ આવીને અટકી જાય છે. શનિવારે પણ રાજ્યમાં ૩,૧૪૫ કોરોનાના કેસ અને ૪૫ મૃત્યુ નોંધાયા હતા. જોકે મૃત્યુનો આંકડો થોડો ઘટ્યો હતો. મુંબઈમાં ૫૭૪ નવા કેસ અને આઠ મૃત્યુ નોંધાયા હતા. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ૧૦૨૭ નવા કેસ અને ૧૪ મૃત્યુ નોંધાયા હતા. નાશિક ડિવિઝનમાં ૫૧૦ કેસ અને ૧૧ મૃત્યુ, પુણે ડિવિઝનમાં ૭૦૪ કેસ અને ૬ મૃત્યુ, કોલ્હાપુર ડિવિઝનમાં ૯૩ નવા કેસ અને ચાર મૃત્યુ, નાગપુર ડિવિઝનમાં ૪૦૬ નવા કેસ અને ચાર મૃત્યુ નોંધાયા હતા. મુંબઈમાં એક્ટિવ કેસ ૭૧૦૭ છે અને રાજ્યમાં ૫૨,૧૫૨ છે. શનિવારે સાજા થઈ ઘરે જનારા દરદીઓની સંખ્યા ૩૫૦૦ થઈ હતી.