અમદાવાદમાં 69, સુરતમાં 61, વડોદરામાં 67, રાજકોટમાં 44, જામનગરમાં 8, ભાવનગરમાં 4, જૂનાગઢ 3 અને ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 1786 કેસ છે. જેમાના 35 દર્દીઓ વેન્ટિલેટર છે.
નવી દિલ્હી: ભારતમાં એક તરફ કોરોના વેક્સીનેશનના પહેલા ચરણમાં અત્યાર સુધી 1 કરોડ 21 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કરોને રસી આપવામાં આવી ચૂકી છે. તો બીજી તરફ કોવિડ)ના નવા સ્ટ્રેન મળવાની સાથોસાથ સંક્રમણના કેસો વધવાથી કેન્દ્ર સરકારની સાથોસાથ રાજ્ય સરકારો પણ ચિંતિત બની છે. મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢમાં કોરોના વેક્સીનેશનને વધુ વેગ આપવા કેન્દ્રએ સૂચન કર્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,21,65,598 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,742 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 104 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,30,176 થઈ ગઈ છે. કોવિડ-19 ની મહામારી સામે લડીને 1 કરોડ 7 લાખ 26 હજાર 702 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 14,037 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,46,907 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,56,567 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 24 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 21,30,36,275 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 8,05,844 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે ગુજરાતની વાત કરીએ તો, કોરોનાના નવા કેસ 300થી પણ વધારે સામે આવ્યા હતા. મંગળવારે રાજ્યમાં કુલ કોરોનાના નવા 348 કેસ નોંધાયા છે. જ્યારે 294 દર્દી સ્વસ્થ થયા હતા.