સુરતમાં કોરોનાનો કહેર, કેસ વધતા સોસાયટીઓ કન્ટેઈનમેન્ટમાં મુકાઈ, નહીં યોજાય નવરાત્રિ!

0
69
પાલિકાએ ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે, જો નવરાત્રિનું આયોજન કરવામાં આવે તો દૈનિક ધોરણે સેનીટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવું, માસ્ક અવશ્ય પહેરવું, તાવ, શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો જેવા લક્ષણવાળા રહીશોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટીંગ માટે મોકલવાના રહેશે.
પાલિકાએ ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે, જો નવરાત્રિનું આયોજન કરવામાં આવે તો દૈનિક ધોરણે સેનીટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવું, માસ્ક અવશ્ય પહેરવું, તાવ, શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો જેવા લક્ષણવાળા રહીશોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટીંગ માટે મોકલવાના રહેશે.

કોરોનાની શરૂઆત જયાંથી થઈ હતી તે રાંદેર અને અઠવા ઝોનમાં ફરીથી કોરોનાના કેસ વધતા પાલિકાની અગમચેતી. કન્ટેઈનમેન્ટમાં ન મૂકાઈ હોય તેવી સોસાયટીઓમાં પણ કેસ વધશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની  સુરત મહાનગર પાલિકાએચિમકી આપી છે.

સુરતઃ ગુજરાતમાં હજુ ધીરે ધીરા સ્થિતિ સામાન્ય થઈ રહી હતી. એ દરમ્યાન ફરી એકવાર સુરત શહેરમાં કોરોનાએ માથુ ઉચક્યું છે. સુરતમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોનાના કેસ વધતા મહાનગર પાલિકાએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત તંત્ર દ્વારા સુરતની ઢગલાં બંધ સોસાયટીઓને કોરોના કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકી દીધી છે. આ વિસ્તારમાં નિગરાની માટે પોલીસની ટીમ પણ મુકવામાં આવી છે. એટલું જ નહીં કોરોનાના કેસ વધે નહીં તે આશયથી આ વિસ્તારોમાં નવરાત્રિનું આયોજન નહીં કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, સરકારે આ વર્ષે કેટલીક મર્યાદાઓ અને કોરોનાના નિયમોના પાલન સાથે શેરી ગરબાની મંજૂરી આપી છે. જોકે, જે વિસ્તારોમાં કેસ જોવા મળશે તેમને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકીને ત્યાં ગરબાનું કોઈ પણ પ્રકારનું આયોજન નહીં કરી શકાયકોરોનાની શરૂઆત જયાંથી થઈ હતી તે રાંદેર અને અઠવા ઝોનમાં ફરીથી કોરોનાના કેસ વધતા પાલિકાની અગમચેતી. કન્ટેઈનમેન્ટમાં ન મૂકાઈ હોય તેવી સોસાયટીઓમાં પણ કેસ વધશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની  સુરત મહાનગર પાલિકાએચિમકી આપી છે. રાંદેર અને અઠવા ઝોનમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોય તેવી ક્લસ્ટર જાહેર સોસાયટીઓને નવરાત્રિ નહીં યોજવા અને ક્લસ્ટર આસપાસની અને એકાદ કેસ નોંધાયો હોય તેવી સોસાયટી-એપાર્ટમેન્ટોના પ્રમુખ, આયોજકોને કોવિડ ગાઇડનું પાલન કરી નવરાત્રિ ઉજવવી પરંતુ જો કેસ નોંધાશે તો શિક્ષાત્મક કાર્યવાહી થશે એમ પાલિકાએ જુદી જુદી બે નોટિસ ફટકારી છે શહેરમાં જ્યાંથી કોરોનાની શરૂઆત થઈ અને પ્રથમ રેડ ઝોન જાહેર થયો એ રાંદેર બાદ અઠવા ઝોન વિસ્તારમાં કોરોના સતત વકરી રહ્યો છે. પોઝિટિવ દર્દીઓમાં ધાર્મિક તહેવારની યાત્રાની હિસ્ટ્રી જ આવી રહી છે. ત્યારે સતત વધતા કેસ જોતાં મહાપાલિકાએ રાંદેરના 30 અને અઠવા ઝોનના 41 ક્લસ્ટર એરિયામાં નવરાત્રિ નહીં યોજવા નોટીસ ફટકારી છે. એટલું જ નહીં બીજા છુટા કેસ નોંધાયા હોય અને આસપાસનાં વિસ્તારોમાં એપાર્ટમેન્ટ-સોસાયટીઓને તમામ પ્રિકોશન જાળવી નવરાત્રિ ઉજવવાની રહેશે. જો પોઝિટિવ કેસ નોંધાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની બે નોટિસ ફટકારાય છે.

પાલિકાએ ફટકારેલી નોટિસમાં જણાવ્યું છે કે, જો નવરાત્રિનું આયોજન કરવામાં આવે તો દૈનિક ધોરણે સેનીટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે, સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવું, માસ્ક અવશ્ય પહેરવું, તાવ, શરદી, ખાંસી, ગળામાં દુઃખાવો જેવા લક્ષણવાળા રહીશોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટીંગ માટે મોકલવાના રહેશે. પરંતુ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ આવશે તો ‘એપીડેમીક ડીસીઝ એકટ’ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here