મુખ્યમંત્રી પુષ્કર ધામીએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો
અકસ્માત વખતે ડ્રાઈવર અને કંડક્ટર જ ખાનગી બસમાં હાજર હતા, પેસેન્જર લેવાની ઉતાવળમાં અકસ્માત સર્જાયો હોવાની આશંકા
મુલાકાત કરીને પરત ફરતી વખતે આ સમૂહ ઠુલીગઢ પહોંચ્યું હતું
આ દુર્ઘટના ગુરુવારે સવારે લગભગ 6 વાગ્યે પૂર્ણાગિરી મંદિરથી 10 કિમી દૂર ઠુલીગઢ નજીક બની હતી. ઉત્તર પ્રદેશના બહરાઇચ અને બદાયુંથી ભક્તોનું એક જૂથ માતા પૂર્ણાગિરીના દર્શન કરીને પાછા ફરતી વખતે ઠુલીગઢ પહોંચ્યું હતું. તે પછી તીર્થયાત્રીઓને ટનકપુર લાવવાની ઉતાવળમાં એક ખાનગી બસ (UA12-3751) ઠુલીગઢ પોલીસ ચોકી પાસે રોડ કિનારે ઉભેલા 12 યાત્રાળુઓ પર ફરી વળી હતી. ઘટના બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. પોલીસ અને અન્ય શ્રદ્ધાળુઓની મદદથી ઘાયલોને 108 એમ્બ્યુલન્સ સેવા અને ખાનગી વાહનો દ્વારા ટનકપુર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બસમાં માત્ર ડ્રાઈવર અને કંડક્ટર જ હતા.