દેશમાં કોરોનાએ પકડી રફતાર, 24 કલાકમાં 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા, સક્રિય કેસ 23 હજારને પાર

0
29

163 દિવસ બાદ એક દિવસમાં ચાર હજારથી વધુ કેસ જોવા મળ્યા

24 કલાકમાં કોરોનાના લીધે 15 લોકોએ જીવ ગુમાવ્યા

દેશમાં કોરોનાના કેસોએ રફતાર પકડી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના ચાર હજારથી વધુ કેસ નોંધાયા છે. જે 163 દિવસ બાદ એક દિવસમાં ચાર હજારથી વધુ કેસ જોવા મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર  દેશમાં 4,435 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. આ સાથે સક્રિય કેસોની સંખ્યા 23,091 પર પહોંચી ગઈ છે. સંક્રમણને કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મહારાષ્ટ્ર અને કેરળમાં ચાર-ચાર અને છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પુડુચેરી અને રાજસ્થાનમાં એક-એકનું મોત થયું છે. સંક્રમણને કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખથી વધુ લોકોના મોત થયા છે.
કોરોના રીકવરી રેટ 98.76 ટકા

દેશમાં 23,091 સક્રિય કેસોમાં કુલ ચેપ દર 0.05 ટકા છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, રાષ્ટ્રીય કોવિડ -19 રિકવરી રેટ 98.76 ટકા નોંધાયો હતો. દૈનિક સકારાત્મક દર 3.38 ટકા અને સપ્તાહનો સકારાત્મક દર 2.79 ટકા નોંધાયો છે. 

 દેશમાં ચેપના ફેલાવાના 38 ટકા માટે વાયરસનું નવું સ્વરૂપ જવાબદાર

કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસોને લઈને કેન્દ્ર સરકારના એમ્પાવર્ડ ગ્રુપ Iની બેઠકમાં INSACOGએ કહ્યું કે, દેશમાં ચેપના ફેલાવાના 38 ટકા માટે વાયરસનું નવું સ્વરૂપ જવાબદાર છે. INSACOG એ બેઠકમાં આરોગ્ય મંત્રાલય અને નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓને અહેવાલ સુપરત કર્યો હતો. 

વાયરસનું નવું સ્વરૂપ, XBB.1.16 ભારતના વિવિધ ભાગોમાં જોવા મળ્યું

અહેવાલ અનુસાર, વાયરસનું નવું સ્વરૂપ, XBB.1.16, ભારતના વિવિધ ભાગોમાં જોવા મળ્યું છે, જે અત્યાર સુધીના ચેપના 38.2% માટે જવાબદાર છે.  માર્ચના ત્રીજા સપ્તાહ સુધી એકત્ર કરાયેલા સેમ્પલમાં સૌથી વધુ એક્સબીબી ફોર્મ મળી આવ્યું છે. જો કે, દેશના કેટલાક ભાગોમાં, BA.2.10 અને BA.2.75 પેટા પ્રકારો પણ મળી આવ્યા હતા, જે, XBBની જેમ, ઓમિક્રોન ફોર્મેટમાંથી લેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here