3 દેશોના પ્રવાસ બાદ PM મોદી વતન પરત, કહ્યું – વિદેશમાં મળેલું સન્માન મારું નહીં 140 કરોડ ભારતીયોનું

0
65

વડાપ્રધાન મોદી જાપાન, પાપુઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયાનો 6 દિવસનો પ્રવાસ પૂરો કરી ભારત પરત

પાલમ એરપોર્ટ પર સ્વાગત કરવા પહોંચેલા ભાજપના કાર્યકરોને કર્યું સંબોધન

જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પૂરો કરીને ગુરુવારે વહેલી સવારે દિલ્હી પરત આવી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાલમ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી પીએમ મોદીએ એરપોર્ટ નજીક તેમનું સ્વાગત કરવા આવેલા બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. ભાજપના કાર્યકરોને મા ભારતીને પ્રેમ કરનારા ગણાવ્યા 
તેમણે કહ્યું, આજે જે લોકો અહીં હાજર છે તે મોદીજીને પ્રેમ કરનારા લોકો નથી, તેઓ મા ભારતીને પ્રેમ કરનારા લોકો છે. આ એવા લોકો છે જેઓ ભારતને પ્રેમ કરે છે. જ્યારે ભારતનું નામ રોશન થાય છે ત્યારે 140 કરોડ દેશવાસીઓની ભાવના નવી ઊંચાઈઓને સ્પર્શે છે.
દુનિયામાં ક્યાંય પણ જાઓ…. ત્યારે ગુલામીની માનસિકતામાં ડૂબી ન જતા  
વડાપ્રધાને કહ્યું કે, હું વિશ્વના દેશોમાં જાઉં છું અને વિશ્વના મહાપુરુષોને મળું છું અને ભારતની ક્ષમતા વિશે વાત કરું છું, ભારતની યુવા પેઢીની પ્રતિભા વિશે ચર્ચા કરું છું અને ભારતના યુવાનોએ બતાવેલ બહાદુરી બતાવું છું. હું દુનિયામાં જઈને આ વાતો કહું છું. તેમણે કહ્યું, આ મુલાકાત દરમિયાન મને જે પણ સમય મળ્યો, મેં મારા સમયનો પૂરેપૂરો ઉપયોગ દેશ વિશે વાત કરવામાં, દેશની ભલાઈ માટે નિર્ણયો લેવામાં કર્યો. હું તમને પણ એ જ કહીશ કે ભારતની સંસ્કૃતિ અને મહાન પરંપરા વિશે બોલતી વખતે ક્યારેય ગુલામીની માનસિકતામાં ડૂબી ન જતા, હિંમતથી બોલજો… દુનિયા સાંભળવા આતુર છે. 
કોરોના વેક્સિનને લઈને વિપક્ષે નિશાન સાધ્યું
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની વેક્સિનને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને કહ્યું, અમને હિસાબ પૂછવામાં આવ્યો કે તમે વિદેશમાં રસી કેમ મોકલી. આ બુદ્ધ અને ગાંધીની ભૂમિ છે. પાપુઆ ન્યુ ગિનીના લોકો મારી ભાષા સમજી શક્યા નહીં, પરંતુ તેઓએ ઈશારો કરીને કહ્યું કે તમે રસી મોકલી ત્યારે જ અમે જીવિત છીએ. ત્યાંના લોકોની આંખમાં આંસુ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here